અભયારણ્ય
અભયારણ્ય શબ્દ બે અલગ અલગ શબ્દો અભય અને અરણ્ય ની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે. આ અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવવામાં આવેલી હોય છે, તેમજ પશુ-પંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભ્યારણ ની સ્થાપના કરી શકે છે.