ઉપાસની મહારાજ (૧૫ મે, ૧૮૭૦ – ૨૪ ડિસેમ્બર, ૧૯૪૧) હિન્દુ ધર્મના ગુરુ હતા. સાકોરી નામના નાનકડા ગામમાં રહેતા હતા. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઉપાસની મહારાજ યોગી હતા અને પ્રખ્યાત ભાર્તીય સંત સાંઈ બાબા ના સંપર્કમાં આવ્યા પછે અને તેમની સંગતમાં ત્રણ વર્ષ રહ્યાં પછી કહેવાય છે કે તેઓ સદગુરુ બની ગયાં. મેહર બાબાને જેમ જ ઉપાસની મહારાજ પણ ભારતીય તત્વજ્ઞાનના એક પ્રખ્યાત ગુરુ મનાય છે. આજે પણ ઉપાસને મહારાજના ઘણાં અનુયાયીઓ છે જે સાકોરીમાં રહે છે અને તેમના મંદિરની સાર સંભાળ રાખે છે. ઉપાસની મહારાજના ઉપદેશનો સાર: 1. કોઇને તકલીફ આપવી નહિ. 2. ભલે પોતે દુ:ખી થવું પડે છતાં પણ અન્યને ઉપયોગી થવું. 3. હમેંશા સંતોષી રહો અને જેવી સ્થિતિ હોય તેમાં ખુશ રહો.

ઉપાસની
જન્મની વિગત(1870-05-15)15 May 1870
સટાણા, બ્રિટીશ ભારત
મૃત્યુ24 December 1941(1941-12-24) (ઉંમર 71)
અહમદનગર જિલ્લો, બ્રિટીશ ભારત
Era૨૦મી સદી
Regionભારત
Schoolહિંદુ, અદ્વૈત વેદાંત

સંદર્ભ ફેરફાર કરો