ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્રના રચયિતા છે .[૧] તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષો માટે આચાર્ય એ વિશેષણ ઉમેરાય છે.

તેઓ એક ગણિત શાસ્ત્રી હતાં અને તેઓ લગભગ ઈસ પૂર્વે બીજી સદીની આસ પાસ થઈ ગયાં. એ પણ શક્ય છે તે સમય સુધી જૈન સંઘમાં ચોક્કસ વિભાન થયું ન હતું, તેથી કદાચ બંને ફિરકા તેમને પોતાના સંપ્રદાયના ગણે છે.

નોંધ ફેરફાર કરો

  1. તેમનો ઉલ્લેખ અમુક સ્થળોએ ઉમાસ્વામી તરીકે પણ થાય છે .

વધુ વાંચન ફેરફાર કરો