જગતસિંહપુર જિલ્લો ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા દરિયાકિનારા પર આવેલા ઓરિસ્સા રાજ્યનો એક મહત્વનો જિલ્લો છે. જગતસિંહપુર જિલ્લાનું મુખ્ય મથક જગતસિંહપુર નગરમાં આવેલું છે.

આ જિલ્લો ઓરિસ્સામાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો વિસ્તારની રીતે સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલું પારાદીપ બંદર રાજ્યનું મહત્વનું બંદર છે.