જયેન્દ્ર મણીલાલ પટેલ કે જેઓ તેમના ઉપનામ જયેન્દ્ર શેખડીવાળાથી વધુ જાણીતા છે, એક ગુજરાતી કવિ, વિવેચક અને ગુજરાત, ભારતના પ્રોફેસર છે. તેમને કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૭) ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે મળ્યો હતો.

જયેન્દ્ર મણિલાલ પટેલ
જયેન્દ્ર શેખડીવાળા
જયેન્દ્ર પટેલ, ડિસેમ્બર ૨૦૧૬માં.
જયેન્દ્ર પટેલ, ડિસેમ્બર ૨૦૧૬માં.
જન્મનું નામ
જયેન્દ્ર મણીલાલ પટેલ
જન્મજયેન્દ્ર મણિલાલ પટેલ
(1952-08-23) 23 August 1952 (ઉંમર 71)
શેખડી, પેટલાદ, ગુજરાત
ઉપનામજયેન્દ્ર શેખડીવાળા
વ્યવસાયકવિ, વિવેચક, પ્રોફેસર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • માસ્ટર ઓફ આર્ટ્સ
  • બેચલર ઓફ લૉ
  • પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોકલ્કિ
નોંધપાત્ર પુરસ્કારો
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધરવજી પટેલ એક અધ્યયન (૧૯૯૦)
માર્ગદર્શકપ્રમોદકુમાર પટેલ

જીવન ફેરફાર કરો

જયેન્દ્ર શેખડીવાળાનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૫૨ના રોજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શેખડી ગામમાં થયો હતો. તેમની પાસે બી.એ., એમ.એ., એલ.એલ.બી.ની ડિગ્રી છે. તેમણે તેમના સંશોધન રવજી પટેલ એક અધ્યયન (કવિ રવજી પટેલના જીવન અને કાર્યો પર સંશોધન કાર્ય) માટે પીએચ.ડી. મેળવી. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી અને ત્યાંથી નિવૃત્ત થયા.[૧]

તેમણે કપિલા પટેલ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર છે.

કાર્યો ફેરફાર કરો

કલ્કિ, કિવંદતિ અને કર્દમપલ્લી તેમનાં કાવ્ય સંગ્રહ છે. નાટ્યાંજલિ એક નાટક છે. જ્યારે નખશિખ (હરીશ મીનાશ્રુ સાથે), પ્રેરણા શ્રમિક સૂર સંકલન તેમના દ્વારા કરવામાં આવ્યાં છે. કથેટી અનેઅંગગઠવી એ તેમની સંશોધન કૃતિઓ છે.[૨][૧]

નિવૃત્તિ પછી, જયેન્દ્ર ચિત્રકલામાં સક્રિયપણે સામેલ છે અને તેમણે એકલ અને સમૂહ પ્રદર્શની બંને યોજ્યા છે.

માન્યતા ફેરફાર કરો

તેમના પુસ્તક કલ્કીને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઇનામો મળ્યાં.[૨] ૨૦૧૭માં તેમને કવિશ્વર દલપતરામ એવોર્ડ મળ્યો. તેઓ ઉમાશંકર જોશી ગોલ્ડ મેડલ અને ગુજરાતી સાહિત્ય એકેડેમી એવોર્ડના પણ પ્રાપ્તકર્તા છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Bhuptani, Maulik (20 January 2014). "JAYENDRA SHEKHDIWALA, Gujarat Sahitya Academy, સર્જક અને સર્જન, જયેન્દ્ર શેખડીવાળા". Gujarat Sahitya Akademi. મેળવેલ 29 January 2017.
  2. ૨.૦ ૨.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 252–253. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ ફેરફાર કરો