ઝિંઝુવાડા (તા. દસાડા)
ઝિંઝુવાડા (તા. દસાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા દસાડા તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે. ઝિંઝુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મીઠું પકવવાનો મોટો ઉધોગ પણ અહીં વિકસ્યો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઝિંઝુવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°19′27″N 71°49′49″E / 23.324081°N 71.830379°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | દસાડા |
વસ્તી | ૭,૫૯૩[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૪૫ ♂/♀ |
સાક્ષરતા | ૬૬.૨૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતતર માધ્યમિક શાળા, ઝીંઝુવાડા આર્ટસ કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ઇતિહાસ ફેરફાર કરો
આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. નગરના સંરક્ષણ માટે તે સમયે બંધાયેલ કિલ્લાના અવષેશો આજે પણ જોવા મળે છે. કિલ્લાના દરવાજાઓ શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. એક સમયે તે બંદર હતું તે વાતની ગવાહી પૂરતી દીવાદાંડી આજે પણ મોજુદ છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું એક વહેણ અહીંથી પસાર થતું હતું.
ધાર્મિક સ્થળો ફેરફાર કરો
અહીં આઇ શ્રી રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર, નળેશ્વર મહાદેવનું મંદિર, ઝિલ્કેશ્વર મહાદેવનું મંદિર જેવા મંદિરો આવેલા છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Zinzuwada Village Population, Caste - Dasada Surendranagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |