થોરીયાળી (તા. પડધરી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

થોરીયાળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા પડધરી તાલુકામાં આવેલું એક ગામ છે.થોરીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

થોરીયાળી
—  ગામ  —
થોરીયાળીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°26′05″N 70°36′09″E / 22.434808°N 70.602503°E / 22.434808; 70.602503
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો પડધરી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ગામમાં સહકારી મંડળી અને એક ગૌશાળા પણ છે, જેમાં આશરે ૨૦૦ જેટલી ગાયોનું ભરણપોષણ કરવામાં આવે છે. અહીં ફુલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગામની ઉત્તર દિશામાં રામાન્નદ આશ્રમ આવેલ છે.

ગામમાં ૫ટેલ સમાજના લોકો દ્વારા ર૦૧૭-૧૮ માં નવી ૫ટેલ સમાજ વાડી નું નિર્માણ કરવામાં આવેલ છે.