પ્રસાદ એટલે ધાર્મિક વિધિ કે પૂજન દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા થાળમાં મુકવામાં આવતી ખાદ્ય પદાર્થો, જેને વિધિ કે પૂજન પતી ગયા બાદ હાજર રહેલી વ્યક્તિઓ તેમજ પાસ-પડોશમાં વહેંચવામાં આવે છે. ખાસ કરીને આ ખાદ્ય પદાર્થ તરીકે ગોળધાણા, સાકર, લાડુ, પંજરી, શીરો અથવા કોઇપણ પકવાનનો ઉપયોગ કરવામાં આવે છે.