ભરતસિંહ માધવસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકી (જન્મ: નવેમ્બર ૨૬, ૧૯૫૩) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫ માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની ૧૪મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે.

ભરતસિંહ માધવસિંહ સોલંકી
પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
પદ પર
Assumed office
૨૦૧૫-૨૦૧૮
પદ પર
૨૦૦૬ – ૨૦૦૮
પેયજળ અને સેનિટેશન મંત્રી ‍(સ્વતંત્ર હવાલો)
પદ પર
ઓક્ટોબર ૨૦૧૨ – મે ૨૦૧૪
રેલ્વે મંત્રી, રાજ્ય કક્ષા
પદ પર
જાન્યુઆરી ૨૦૧૧ – ઓક્ટોબર ૨૦૧૨
ઉર્જા મંત્રી, રાજ્ય કક્ષા
પદ પર
જૂન ૨૦૦૯ – જાન્યુઆરી ૨૦૧૧
સાંસદ
પદ પર
૨૦૦૪ – ૨૦૧૪
બેઠકઆણંદ લોક સભા વિસ્તાર
સાંસદ
પદ પર
૧૯૯૫ – ૨૦૦૪
બેઠકબોરસદ
અંગત વિગતો
જન્મ૨૬ નવેમ્બર, ૧૯૫૩
બોરસદ, આણંદ, ગુજરાત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંબંધોમાધવસિંહ સોલંકી (પિતા)
શૈક્ષણિક લાયકાતબી.ઇ. (સિવિલ)
સહી
વેબસાઈટઅધિકૃત વેબસાઇટ

ભરતસિંહ સોલંકી યુપીએ - ૨ સરકાર દરમિયાન કેબિનેટમાં પેયજળ અને સેનિટેશન મંત્રી પણ રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી રહી ચુક્યા છે. તેઓ વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૬ દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.

૨૦૦૪ અને ૨૦૦૯માં બે વખત આણંદ લોક સભાની બેઠક જીત્યા બાદ ૨૦૧૪માં તેઓ ભાજપના દિલિપભાઇ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Lotus garden: BJP wins all 26 Lok Sabha seats in Gujarat". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૧૭ મે ૨૦૧૪. મેળવેલ ૧૭ મે ૨૦૧૪.

બાહ્ય કડીઓ ફેરફાર કરો