લુવારવાવ (તા. પાલીતાણા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

લુવારવાવ (તા. પાલીતાણા) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી આવેલ છે. [૧]

લુવારવાવ (તા. પાલીતાણા)
—  ગામ  —
લુવારવાવ (તા. પાલીતાણા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′08″N 71°51′04″E / 21.535665°N 71.851208°E / 21.535665; 71.851208
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આ ગામના પાદરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેની બાજુમાં ગિરનારી આશ્રમ આવેલો છે. જયાં ઓમકારગીરી બાપુ બિરાજમાન છે. આ આશ્રમમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર તથા બોલબાલા હનુમાનજી નું મંદીર આવેલું છે. ગામમાં રામજી મંદિરે દર વર્ષે નવરાત્રીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગામમાં શક્તિમાતાનું (હડકમાનું) મંદિર પણ આવેલ છે, જ્યાં ગામેગામથી માનતા પુરી કરવા આવે છે. ગામમાં માટીથી ચણેલા અને છાપરા પર દેશી નળિયા વાળા મકાનો જોવા મળે છે. ગામમાં બારેમાસ પીવાનું પાણી ઘરે નળ દ્વારા મળી રહે તેવી સગવડ છે. તેમજ ભુગર્ભ ગટર યોજના પણ છે. અહીં આવેલી લુવારવાવ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં "BRC" ભવન આવેલું છે, જ્યાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા તથા જમવાની સુવિધાઓ મળે છે.

પાલીતાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર પાલીતાણા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)