સારન જિલ્લો

બિહારનો એક જિલ્લો

સારન જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ખાતે આવેલું છે. સારન જિલ્લો સારન વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.

સારન જિલ્લો
બિહારનો જિલ્લો
સારન જિલ્લાનું એક ખેતર
સારન જિલ્લાનું એક ખેતર
બિહારમાં સારન જિલ્લાનું સ્થાન
બિહારમાં સારન જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (છપરા): 25°55′N 84°45′E / 25.917°N 84.750°E / 25.917; 84.750
દેશભારત
રાજ્યબિહાર
વિભાગસારન
મુખ્યમથકછપરા
તાલુકાઓ૨૦
સરકાર
 • લોક સભા મતવિસ્તારો૧. સારન, ૨. મહારાજગંજ (સીવાન જિલ્લાની સાથે)
 • વિધાન સભા મતવિસ્તારોએકમા, માંઝી, બનીપુર, તારૈયા, મારહુરા, છપરા, ગરખા, અમનૌર, પરસા, સોનપુર
વિસ્તાર
 • કુલ૨,૬૪૧ km2 (૧૦૨૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૯,૫૧,૮૬૨
 • ગીચતા૧૫૦૦/km2 (૩૯૦૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા૭૨.૫૭%
 • લિંગ પ્રમાણ૯૪૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH 28B, NH 85, NH 101, NH 102, NH 19
વેબસાઇટsaran.nic.in

ગંગા, ગંડક તેમ જ ઘાઘરા નદીઓથી ઘેરાયેલો આ જિલ્લો ભારત દેશ ખાતે માનવ વસવાટના કેન્દ્રો પૈકીનું એક છે. આખો જિલ્લો એક સમતળ તેમ જ ફળદ્રુપ જમીન ધરાવે છે. ભોજપુરી ભાષી ક્ષેત્રની પૂર્વીય સીમા પર આવેલો આ જિલ્લો સોનપુર મેળા માટે તેમ જ રાજનીતિક ચેતના માટે પ્રસિધ્ધ છે.

નામકરણ ફેરફાર કરો

પ્રાચીન કાળમાં સારન જિલ્લો એની ભૂમિ પરના જંગલોનો વિસ્તાર અને એમાં વિચરતાં હરણોને કારણે પ્રસિધ્ધ હતો. હરણ (સારંગ) તેમ જ અરણ્ય (જંગલ)ના કારણે આ વિસ્તાર સારંગારણ્ય કહેવાતો હતો, જે કાળક્રમે અપભ્રંશ પામી સારન નામે ઓળખાવા લાગ્યો. જનરલ કનિંધમ નામના એક બ્રિટિશ વિદ્વાને એવી ધારણા વ્યક્ત કરી છે કે સમ્રાટ અશોકના સમયકાળમાં અહીં ઉભા કરાયેલા ધમ્મ સ્તંભોને 'શરણ' કહેવામાં આવતા હતા, જે પછીના સમયમાં સારન તરીકે ઓળખાયા અને આ ક્ષેત્રનું નામ સારન પડ્યું. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ઘણું જ જાણીતું સ્થળ છે. આથી જ આ જિલ્લાને છપરા જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસ ફેરફાર કરો

મહાજનપદ કાળમાં સારનનો વિસ્તાર કોસલ રાજ્યનો એક ભાગ રહ્યો હતો. કોસલ રાજ્યના ઉત્તર દિશામાં નેપાળ, દક્ષિણ દિશામાં સર્પિકા (સાઈ) નદી, પૂર્વ દિશામાં ગંડક નદી તથા પશ્ચિમ દિશામાં પાંચાલ પ્રદેશ આવેલા હતા. એના પ્રમાણે વર્તમાન સમયના ઉત્તર પ્રદેશના ફૈજાબાદ, ગોંડા, બસ્તી, ગોરખપુર તથા દેવરીયા જિલ્લાઓ ઉપરાંત બિહાર રાજ્યના સારન ક્ષેત્રનો સમાવેશ થાચ છે. આઠમી સદીમાં અહીં પાલ શાસકોનું આધિપત્ય હતું. સારન જિલ્લાના દિધવારાની નજીક દુબૌલી ખાતેથી, મહેન્દ્રપાલ દેવના સમયનું, ઇ. સ. ૮૯૮ના વર્ષમાં લખાયેલું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે.[૧] બાબરના સમયકાળમાં જ સારન પર મુઘલ સામ્રાજ્યનું આધિપત્ય સ્થપાયું હતુ. ત્યારબાદ અકબરના શાસનકાળમાં લખાયેલા આઇના-એ-અકબરીના વિવરણ અનુસાર સારન નાણાંકીય ક્ષેત્ર કર (વેરો) સંગ્રહ માટે બનાવવામાં આવેલાં ૬ ક્ષેત્રો પૈકીનું એક હતું અને એના અંતર્ગત વર્તમાન બિહાર રાજ્યના ભાગોનો સમાવેશ થતો હતો. બકસરના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી ઇ.સ. ૧૭૬૫ના વર્ષમાં અંગ્રેજોને અહીનો વહીવટી અધિકાર મળ્યો. ઇ.સ. ૧૮૨૯ના વર્ષમાં પટણાને પ્રાંત બનાવવામાં આવ્યો ત્યારે સારન અને ચંપારણ જિલ્લાનો મળી એક જિલ્લો બનાવવામાં આવ્યો હતો.

સંદર્ભો ફેરફાર કરો

  1. [૧] સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન સારન જિલ્લાનો ઇતિહાસ