સૈયદ મુસ્તાક અલી

ભારતીય ક્રિકેટના ખેલાડી

સૈયદ મુસ્તાક અલી (audio speaker iconMushtaq Ali.ogg ) (ડિસેમ્બર ૧૭, ૧૯૧૪ – જૂન ૧૮, ૨૦૦૫) ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર હતા, અને આક્રમક ટેસ્ટ બેટ્સમેન હતા. અલી ભારત બહાર પ્રથમ ટેસ્ટ સદી કરવાનું ગૌરવ ધરાવતા હતા, જે તેમણે ૧૯૩૬ માં 'માન્ચેસ્ટર' ઇંગ્લેન્ડમાં બનાવેલ. તેમનો જન્મ ડિસેમ્બર ૧૭, ૧૯૧૪ નાં રોજ ઇન્દોર, મધ્ય પ્રદેશમાં થયેલ.

સૈયદ મુસ્તાક અલી
સૈયદ મુસ્તાક અલી, ૧૯૩૬
અંગત માહિતી
પુરું નામસૈયદ મુસ્તાક અલી
જન્મ(1914-12-17)17 December 1914
ઈંદોર
મૃત્યુ18 June 2005(2005-06-18) (ઉંમર 90)
ઈંદોર, મધ્ય પ્રદેશ, ભારત
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીધીમા ડાબેરી ઓર્થોડોક્સ
ભાગઓલ-રાઉન્ડર
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
  • India (૧૯૩૪–૧૯૫૨)
ટેસ્ટ પ્રવેશ (cap ૧૯)5 જાન્યુઆરી ૧૯૩૪ v England
છેલ્લી ટેસ્ટ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ v England
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૩૪–૧૯૪૪મુસ્લિમ ક્રિકેટ ટીમ
૧૯૩૪–૧૯૪૦સેન્ટ્રલ ઇન્ડિયા
૧૯૩૭રાજપુતાના
૧૯૩૯સેન્ટ્રલ પ્રોવિન્સ એન્ડ બેરાર
૧૯૪૧ગુજરાત
૧૯૪૧મહારાષ્ટ્ર
૧૯૪૧–૧૯૫૫હોલકર ક્રિકેટ ટીમ
૧૯૪૧ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમ
૧૯૫૫મધ્ય પ્રદેશ ક્રિકેટ ટીમ
૧૯૫૬–૧૯૫૭ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમ
૧૯૫૭–૧૯૫૮મધ્ય પ્રદેશ ક્રિકેટ ટીમ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ પ્રથમ દરર્જો
મેચ 11 226
નોંધાવેલા રન 612 13,213
બેટિંગ સરેરાશ 32.21 35.90
૧૦૦/૫૦ 2/3 30/63
ઉચ્ચ સ્કોર 112 233
નાંખેલા બોલ 378 9,702
વિકેટો 3 162
બોલીંગ સરેરાશ 67.33 29.34
ઇનિંગમાં ૫ વિકેટો 0 6
મેચમાં ૧૦ વિકેટો 0 2
શ્રેષ્ઠ બોલીંગ 1/45 7/108
કેચ/સ્ટમ્પિંગ 7/– 160/–
Source: ESPNcricinfo, ૨૪ મે ૨૦૨૦

'વિઝ્ડન' ખાસ ખિતાબ વિજેતા, તેમણે ૧૯૩૬ નાં પ્રવાસ દરમિયાન ચાર પ્રથમકક્ષાની સદીઓ ફટકારેલ. તે ઓપનિંગ કે મધ્ય ક્રમનાં જમણેરી બેટ્સમેન અને ધીમાં ડાબોડી બોલર હતા.

જ્યારે ક્રિકેટની રમત ભારતમાં હજુ શરૂઆતી તબક્કામાં હતી ત્યારે અલી મોટાપાયે ક્ષેત્રીય ટીમ અને ખાનગી ક્રિકેટ કલબો માટે રમતા. તેઓ ફક્ત રમતમાંજ કિંવદંતિરૂપ નહીં પણ તેમના સમયનાં મહાનાયક પણ હતા, અને ભારતીય યુવાપેઢીનાં પ્રેરણામુર્તિ સમા હતા. અન્ય એક મહાન ખેલાડી વિજય મર્ચંટ સાથે જોડાઇને, અલીની આક્રમક અને તાકતવર ફટકાબાજીએ ટીમને વર્ષો સુધી એક જોશપૂર્ણ અને દંતકથારૂપ ઓપનિંગ ભાગીદારી આપેલ.

તેમને ૧૯૬૪ માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો અને તેઓનાં રમત પ્રત્યેનાં યોગદાન બદલ 'મેર્લબોન ક્રિકેટ કલબ'નાં આજીવન સભ્ય બનાવાયેલ. તેઓનું અવસાન, જૂન ૧૮, ૨૦૦૫ ના રોજ, ૯૦ વર્ષની ઉંમરે, ઇન્દોરમાં થયેલ. તેઓ પોતાની પાછળ બે પૂત્ર અને બે પૂત્રીનો પરિવાર છોડી ગયા.

બાહ્ય કડીઓ ફેરફાર કરો