સ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે.

વ્યક્તિ દ્વારા દ્વારા હાથ ધોવા એ, સ્વચ્છતાનું એક સ્વરૂપ છે, જે ચેપી રોગોને ફેલાતા અટકાવવાના તમામ ઉપાયોમાંથી સૌથી અસરકારક છે.
પૃ્થ્વીની કક્ષામાં આવેલી સ્કાયલેબ સ્પેશ સ્ટેશન સમૂહના, ઓરબીટલ વર્કશોપ (OWS) દરમિયાન અવકાશયાત્રી ચાલકદળના ક્વાટરમાં ગરમ સ્નાન લઈ રહ્યો છે. સ્નાન માટેની ઉપલબ્ધ સુવિધામાં, સ્નાન માટેનો પડદો જમીનથી ઉપર તરફ ખેંચાયેલો છે અને છત સાથે જોડવામાં આવ્યો છે. એક લવચિક મકાનમાં બેસાડેલા પુશ-બટન શાવર (બટન દબાવી ચાલુ કરાતો ફુવારો)માંથી આવી રહેલું પાણી. પાણીના પંપમાંથી વહી રહેલું પાણી.

હાઈજીન શબ્દની વ્યુત્પત્તિ ફેરફાર કરો

સ્વચ્છતાને અંગ્રેજીમાં હાઈજીન કહેવામાં આવે છે. સૌપ્રથમવાર 1670માં અંગ્રેજીમાં પ્રમાણિત થયેલો શબ્દ હાઈજીન ફ્રેન્ચ શબ્દ હાઈજીન કે જે ગ્રીક "ὑγιεινή (τέχνη)"ના રોમીયકણ સ્વરૂપ પરથી ઉતરી આવ્યો છે,-હાઈજીન ટેક્ને નો અર્થ "આરોગ્યની (આર્ટ-કળા)" એવો થાય છે, જે ὑγιεινός (હાઈજીનોસ ), પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ "આરોગ્ય માટે સારું, આરોગ્યપ્રદ",[૧] એ ὑγιής (હ્યુજીસ ), આરોગ્યપ્રદ, ધ્વનિ, હિતકારી, પૌષ્ટિક એવો થાય છે.[૨] પ્રાચીન ગ્રીક ધર્મમાં હાઈજીઆ ('Ὑγίεια ) શબ્દ એ આરોગ્ય શબ્દનો અવતાર હતો.[૩]

સ્વચ્છતાનો ખ્યાલ ફેરફાર કરો

સ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર (પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે છે.ખાદ્યાન્ન, દવાઓ, સૌંદર્યપ્રસાધનો અને અન્ય વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા એ ગુણવત્તા ખાતરી માટેનો મહત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન પર આપવામાં આવેલી માઈક્રોબિયલનું વિગતવાર વર્ણન એ તેના ઉપયોગ માટે યોગ્ય હોવાની ખાતરી આપે છે. સુઘટતા (અથવા સફાઈ) અને સ્વચ્છતા શબ્દો ક્યારેક પરસ્પર એકબીજા માટે પણ વપરાય છે, જે મૂંઝવણ ઊભી કરી શકે છે.

સામાન્ય રીતે મોટેભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો અટકાવવા માટેની પદ્ધતિ એવો થાય છે. છતાં સફાઈ પ્રક્રિયામાં (ઉદા. હાથ ધોવા) સંક્રમક ગંદકી અને માટી સ્વરૂપે રહેલા જીવાણુઓને સારી રીતે દૂર કરવામાં આવે છે, મોટા ભાગે તેને જ સ્વચ્છતા પ્રાપ્ત કરી કહેવાય છે. આ શબ્દનો ઉપયોગ વિવિધ શબ્દસમૂહો તરીકે થાય છે જેમાં સમાવિષ્ટ છે: શરીર સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા , ઉંઘ સ્વચ્છતા , માનસિક સ્વચ્છતા, દંત સ્વચ્છતા અને વ્યવસાયિક સ્વચ્છતા એ જાહેર આરોગ્ય સંદર્ભે વપરાય છે. સ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર દર્શાવે છે, તેને આરોગ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વચ્છતા પ્રક્રિયા વ્યાપક રીતે ભિન્ન છે, અને તે કોઈ એક સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે, જે અન્ય સંસ્કૃતિમાં સ્વીકાર્ય ન પણ હોય.

તબીબી સ્વચ્છતા ફેરફાર કરો

તબીબી સ્વચ્છતાએ તબીબી વ્યવસ્થા, તબીબી સારવાર સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ સાથે સંબધીત છે, જે રોગચાળાથી બચાવે અથવા તેને ઓછો કરે છે, તેમજ રોગોચાળો ફેલાતો અટકાવે છે. તબીબી સ્વચ્છતા પ્રક્રિયામાં સમાવિષ્ટ છે:

  • ચેપ ફેલાતો અટકાય તે માટે ચેપી વ્યક્તિ કે સામગ્રીને આઈસોલેશન (અલગ મૂકવુ તે) અથવા ક્વૉરન્ટીનમાં મૂકવું.
  • શસ્ત્રક્રિયાની પ્રક્રિયા દરમિયાન વપરાયેલા સાધનોને જંતુમૂક્ત કરવા.
  • સંરક્ષક વસ્ત્રો અને અવરોધકો જેવા કે, માસ્ક (શસ્ત્રવૈદ્ય મોઢે બાંધે છે તે બુકાની), ગાઉન (લાંબો ઝભ્ભો) ટોપીઓ, આઈવેર (આંખ પર બાંધવાનું કપડું) અને મોજાઓ વિગેરેનો ઉપયોગ કરવો.
  • ઈજાઓ પર યોગ્ય રીતે પાટો બાંધવો અને ઘા પર મલમ પટ્ટી કરવી.
  • તબીબી કચરાનો સુરક્ષિત નિકાલ
  • ફરી વાપરી શકાય તેવા સાધનોને જંતુરહિત કરવા (ઉ.દા. લિનન (શણના કપડા), પેડ, ગણવેશ)
  • ખાસ કરીને ઓપરેશન રૂમમાં ઘસીને સાફ કરવા તેમજ હાથ ધોવામાં આવે છે, પરંતુ તે આરોગ્ય સારવાર વ્યવસ્થા કે જ્યાં રોગચાળો ફેલાઈ શકે છે તેવા સ્થળોએ વધુ સામાન્ય છે.[૪]

આમાંથી મોટા ભાગની પ્રક્રિયાઓ 19મી સદીમાં વિકાસ પામી હતી અને 20મી સદીના મધ્યભાગ સુધીમાં તે સારી રીતે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. કેટલીક પ્રક્રિયાઓ (જેવી કે તબીબી કચરાનો નિકાલ) 20મી સદીના અંતમાં ફાટી નીકળેલા રોગો જેવા કે એઈડ્સ (AIDS) અને ઈબોલાના પરિણામ સ્વરૂપ વઘુ સજ્જડ બની.

ગૃહ અને નિત્ય જીવનમાં સ્વચ્છતા ફેરફાર કરો

ગૃહ સ્વચ્છતા એ એવી સ્વચ્છતા પ્રક્રિયા સાથે સંબંધીત છે કે જે રોગોને અટકાવે છે અથવા ઓછા કરે છે અને ઘરમાં (પ્રાદેશિક) તેમજ રોજીંદા જીવનની પરિસ્થિતિઓ જેવી કે સામાજિક, જાહેર પરિવહન, કામ કરવાના સ્થળો, જાહેર સ્થળો વિગેરેમાં રોગોનો પ્રસાર થતો અટકાવે છે. ગૃહ સ્વચ્છતા અને રોજીંદાં જીવનની પ્રક્રિયાઓ ચેપી રોગોને ફેલાતા અટકાવવામં મહત્વનો ભાગ ભજવે છે.[૫] તેમાં પ્રાદેશિક સ્તરે ઉપયોગમાં આવતી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેવી કે, હાથ ધોવા, શ્વાસની સ્વચ્છતા, ખોરાક અને પાણીની સ્વચ્છતા, સામાન્ય ઘરની સ્વચ્છતા (પર્યાવરણીય સ્થળો અને આસપાસના વિસ્તારો), પાલતું પ્રાણીઓની સંભાળ અને ઘરમાં આરોગ્ય સંભાળ (જેમને ચેપ લાગવાનું વધુ જોખમ હોય છે તેવા લોકોની સંભાળ).

હાલની સ્થિતિમાં સ્વચ્છતાના આ ઘટકોને જુદા મુદ્દાઓ સ્વરૂપે જોવામાં આવે છે, જોકે આ તમામ એક સરખા સૂક્ષ્મજીવવિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત છે. ચેપનો પ્રસાર કરતી સાંકળને તોડવાનો અર્થ એટલે જ ચેપી રોગોને ફેલાતા અટકાવવા. આ માટેનો સામાન્ય સિદ્ધાંત એ છે કે, જો ચેપ માટેની સાંકળ તૂટે તો તેનો અન્યમાં પ્રસાર થતો નથી. ગૃહ સ્વચ્છતા અને રોજીંદા જીવનની પ્રક્રિયાઓ માટે અસરકારક ધોરણોની જરૂરિયાતના પ્રતિભાવરૂપે ગૃહ સ્વચ્છતા પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચે જોખમ આધારિત અભિગમ વિકસાવ્યો છે. (અંતિમ નિયંત્રણ સ્થાનનું જોખમી વિશ્લેષણ એચસીસીપી (HACCP)) કે જે "સ્વચ્છતા લક્ષ્યાંક" તરીકે જાણીતો થયો છે. નિર્ધારિત સ્વચ્છતા એ ઘરમાં રોગના જંતુઓના પ્રસારના મૂળની ઓળખ તેમજ ઘરમાં ચેપ પ્રસારિત થવાના ચક્રને તોડી પાડવાના અભિગમ સાથે ઘરમાં મહત્વના બિંદુઓ પર સ્વચ્છતા પદ્ધતિ અપનાવવા પર આધારિત છે.

ઘરમાં[૬] ચેપનો પ્રસાર કરતા મુખ્ય સ્રોતોમાં લોકો (ચેપગ્રસ્ત લોકો જે તેના વાહક હોય છે), ખોરાક, પાણી તેમજ પાલતું પ્રાણીઓ (પશ્ચિમી દેશોમાં 50% થી વધુ ઘરોમાં એક અથવા વધુ પાલતુપ્રાણીઓ હોય છે) છે. વધુમાં એવા સ્થળો કે જ્યાં પાણીનો પ્રવાહ એકઠો થતો હોય જેમ કે, નળ, શૌચાલય, નકામી પાઈપો, સફાઈના સાધનો, મોઢાના વસ્ત્રો - જીવાણુઓના વિકાસને સતત પ્રોત્સાહન આપે છે, તેમજ ચેપના દ્વિતિય કક્ષાના સંગ્રહક બની શકે છે, જોકે મોટા ભાગની “ખતરા પર” રહેલા પ્રજાતિ જૂથો એવા છે, જે જોખમમાં છે. સૂક્ષ્મજંતુઓ (સંભવિત ચેપી બેક્ટેરિયા, વાઇરસ વિગેરે.) કફ, મળ, ઉલટી, ચામડીના પ્રકાર વિગેરે જેવા સ્રોતો દ્વારા સતત ફેલાય છે. તે પાણી અથવા તો ખોરાક દ્વારા અથવા સીધી રીતે ફેલાય છે, તે દ્વારા ચેપનો વિકાસ થઈ શકે છે. ઘરમાં જીવજંતુઓના[૬] પ્રસાર માટેનો મુખ્ય "ધોરી માર્ગ" છે હાથ અને ખોરાક સંપર્ક સપાટી તેમજ સફાઈ માટેના કપડા તેમજ એઠાં વાસણ.

ઘરમાં લિનન (શણમાંથી બનેલા કપડા) ના કપડા જેમ કે રૂમાલ(ટુવાલ)ને કારણે જંતુઓ ફેલાય છે. શૌચાલય અને હાથ ધોવાની જગ્યા (વોશ બેસીન) જેવા સાધનો, ઉદાહરણ તરીકે જ્યાં માનવ કચરા સાથે સુરક્ષિત વ્યહાર માટેના સંશોધનો થતા હોય, પરંતુ તેમની સાથે જોડાવવામાં જોખમ રહેલું હોય, તેઓ ક્યારેક ગંભીરરૂપ ધારણ કરી શકે છે. ઉ.દા. જ્યારે કોઈ માંદુ હોય અથવા ડાયરિયા થયો હોય. માનવ કચરાનો સુરક્ષિત નિકાલ એ મૂળભૂત જરૂરિયાત છે; નબળું આરોગ્ય અને સ્વચ્છતા એ ઓછી આવક ધરાવતા સમુદાયોમાં ડાયરિયા જેવા રોગો પાછળનું પ્રાથમિક કારણ છે. શ્વાસોચ્છવાસને લગતા વાઇરસ અને ફૂગના બીજ પણ હવા દ્વારા ફેલાય છે. સારી ગૃહ સ્વચ્છતાનો અર્થ છે, મહત્વપૂર્ણ બિંદુઓ પર યોગ્ય સમયે ચેપના ચક્રને તોડવા માટેની નિર્ધારિત સ્વચ્છતા પ્રક્રિયા. ઉદાહરણ તરીકે વધુ ફેલાય તે પૂર્વે જંતુઓને દૂર કરવા.[૬]

કારણ કે, “ચેપ માટેની માત્રા” કેટલાક રોગાણુઓ ખૂબ થોડા પ્રમાણમાં હોઈ શકે છે (10-100 જીવિત એકમો, અથવા કેટલાક વાઇરસ માટે આથી પણ ઓછી), કેટલીક સપાટીઓ પર થી હાથ કે ખોરાક મારફતે મોઢામાં સીધા પ્રવેશી શકે છે, નાકના કે આંખના ચીકણા પદાર્થના સ્તર દ્વારા ચેપ લાગી શકે છે. આરોગ્ય માટેની સફાઈ પ્રક્રિયામાં આ પ્રકારની સપાટીઓ પરથી રોગાણુઓ નાબુદ થઈ શકે તેટલી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. આરોગ્યસંરક્ષણાત્મક (હાઈજેનિક) સફાઈ આ રીતે થઈ શકે છે:

  • સાબુ અને ડિટર્જન્ટના ઉપયોગ દ્વારા યાંત્રિક નિકાલ (ઉ.દા. સફાઈ). સ્વચ્છતા માટેના અસરકારક માપદંડ તરીકે, સપાટી પરના જંતુઓ દૂર કરવા માટે વહેતા પાણીની નીચે વીંછળવા જેવી પ્રક્રિયાઓનું અનુસરણ થવું જોઈએ.
  • એવી પ્રક્રિયા અથવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો કે જે અહીં તહીં ફરતા રોગાણુઓને નિષ્ક્રિય કરે છે. જંતુઓનો નાશ એ “માઈક્રો બાયોસિડલ” ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સિદ્ધ થઈ શકે છે, ઉ.દા. જંતુનાશક અથવા જીવાણુરોધક (એન્ટીબેક્ટેરિયલ) ઉત્પાદનો અથવા પાણીવિહીન હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર) અથવા ગરમીના સાધનો દ્વારા.
  • કેટલાક પ્રસંગોમાં જંતુઓને દૂર કરવા માટે તેમને મારવાનો ઉપાય સંમિશ્રિત છે. ઉ.દા. ધોવાના કપડા અને ઘરમાં રહેલા લિનન (શણના કપડા) જેવા કે ટુવાલ અને એઠાં વાસણો.

હાથ સ્વચ્છતા ફેરફાર કરો

હાથ ધોવાની પ્રક્રિયા ને સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા પાણીરહિત હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર)ના ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હાથની સ્વચ્છતાએ ઘર તેમજ રોજિંદા જીવનમાં ચેપી રોગોના પ્રસારને અટાવવા પર કેન્દ્રિત છે.[૭] સાબુથી હાથ ધોવાનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તેવી સ્થિતિમાં (ઉદા. જાહેર સ્થળો કે જ્યાં હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ ન હોય) પાણીરહીત હાથ સાફ કરનારા (હેન્ડ સેનિટ્ઝર) જેવા કે મદ્યર્ક હાથ ધોવાનું જેલ વાપરી શકાય છે. "ખતરા પર" રહેલા જૂથની સંભાળ લેતા હોઈએ તેવા સમયે જોખમ ઓછું કરવા માટે હાથ ધોવા ઉપરાંત પણ તેઓનો ઉપયોગ થઈ શકે છે. અસરકારક રીતે માદ્યર્ક હાથ ધોવાની જેલમાં 60%v/v જેટલો આલ્કોહોલ હોવો જોઈએ.

વિકસશીલ દેશોમાં હાથ સાફકરનારાઓ (હેન્ડ સેનિટ્ઝર) એ રોજીંદીક્રિયાઓમાં ઉપલબ્ધ વિકલ્પ નથી; એવી પરિસ્થિતિમાં કે જ્યાં પાણી ઉપલબ્ધતા એક સમસ્યા છે, ત્યાં યોગ્ય ઉપાય તરીકે અસ્થિર-નળ છે, જે ખૂબ ઓછા પાણીનો ઉપયોગ કરે છે અને સ્થાનિક સામગ્રી સાથે તેનો ખર્ચ પણ ઓછો આવે છે. ઓછી આવક ધરાવતા સમુદાયોમાં સાબુના વિકલ્પ તરીકે માટી અથવા રાખનો ઉપયોગ કરવામાં આવે છે.

શ્વાસોચ્છવાસને લગતી સ્વચ્છતા ફેરફાર કરો

ખાસ કરીને ઠંડી અને તાવની ઋતુમાં કફ થતો હોય અને છીંક ખાતા સમયે જંતુઓને ફેલાતા રોકવા માટે યોગ્ય શ્વાસોચ્છવાસ અને હાથ સ્વચ્છતા જરૂરી છે.[૫]

  • ટિસ્યૂ સાથે રાખવા અને કફ તેમજ છીંક આવે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • શક્ય એટલી ઝડપથી ટિસ્યૂનો નાશ કરવો
  • માદ્યર્ક આધારિત હાથ સાફકરનાર (હેન્ડ સેનિટ્ઝર)નો ઉપયોગ કરીને અથવા હાથ ધોઈને સાફ રાખવા.

ઘરમાં આહાર સ્વચ્છતા ફેરફાર કરો

ખોરાક સ્વચ્છતાએ ખોરાકને ઝેરી થતો અટકાવવા સંદર્ભેની સ્વચ્છતા પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દર્શાવેલા ખોરાક સ્વચ્છતા માટેના મુખ્ય પાંચ સિદ્ધાંતો આ પ્રમાણે છે:[૮]

  1. ખોરાકને માણસો, પાલતુ પ્રાણીઓ અને કિટકો દ્વારા ફેલાતા રોગાણુઓથી દૂષિત થતું અટકાવવું.
  2. રાંધેલા ખોરાકને દૂષિત થતું અટકાવવા માટે રાંધેલો તેમજ કાચો ખોરાક અલગ રાખવો.
  3. ખોરાકને યોગ્ય સમય અને યોગ્ય તાપમાને પકવવો જેથી, રોગાણુઓ નાશ પામે.
  4. યોગ્ય તાપમાને ખોરાકનો સંગ્રહ કરવો.
  5. સુરક્ષિત પાણી તેમજ કાચી સામગ્રીનો ઉપયોગ કરવો.

ઘરમાં પાણીની વ્યવસ્થા અને સલામત સંગ્રહ ફેરફાર કરો

ઘરમાં રહેલી પાણીની વ્યવસ્થા અને સલામત સંગ્રહ એ સમુદાયિક પરિવારો દ્વારા ઘરોમાં વપરાતી એવી પદ્ધતિ છે, જે ખાતરી આપે છે કે પીવાનું પાણી ઉપયોગમાં લેવા માટે સુરક્ષિત છે. વિકસશીલ દેશોમાં[૯] જ નહીં પરંતુ વિકસીત રાષ્ટ્રોમાં[૧૦] પણ પીવાના પાણીની ગુણવત્તા આજે પણ એક મહત્વનો પ્રશ્ન છે; યુરોપના પ્રદેશોમાં પણ અંદાજિત 120 મિલિયન (1 કરોડ, 20 લાખ) લોકોને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ નથી.


વપરાશની દૃષ્ટિએ એવા સમુદાયો કે જ્યાં પાણીની ગુણવત્તા નબળી હોય અથવા પાણી પુરવઠો ખોરવાઈ ગયો હોય તેવા સંકટ સમયે અતિસાર જેવા રોગો દૂર કરવામાં પાણીની ગુણવત્તા અવરોધરૂપ બની શકે છે.[૯][૧૦][૧૧][૧૨] ઘરમાં પાણીના સંગ્રહ દરમિયાન તે દૂષિત થઈ શકે છે (ઉદા. પાણીના વપરાશ સમયે દૂષિત હાથ અથવા ગંદા વાસણોમાં પાણીનો સંગ્રહ કરવાથી). ઘરમાં પાણીનો સુરક્ષિત સંગ્રહ ખૂબ મહત્વનો છે. પીવાના પાણીના ઉપચાર માટેની પદ્ધતિઓમાં[૧૩],[૧૨] સમાવિષ્ટ છે:


  1. રાસાયણિક જંતુશોધક ક્લોરિન અથવા આયોડિનનો ઉપયોગ.
  2. પાણી ઉકાળવું
  3. ચિનાઈ માટીના ફિલ્ટર દ્વારા નિસ્યંદન[૧૪][૧૫]
  4. સૌર જંતુનાશક - સૌર જંતુનાશક એત અસરકારક પદ્ધતિ છે, ખાસ કરીને જ્યાં રાસાયણિક જંતુનાશકો ઉપલબ્ધ ન હોત ત્યાં.[૧૬][૧૭]
  5. યુવી (પાર જાંબલી કિરણો)નું વિકિકરણ - સમુદાયમાં કે ઘરમાં જથ્થો અથવા પ્રવાહ દ્વારા યુવી વિકિકરણ શક્ય છે. બલ્બને પાણીની કેનાલ અથવા પાણીમાં ડુબાડીને ગોળાને લટકાવી રખી શકાય છે.
  6. ગુચ્છા /ચેપ દુર કરવાની સંમિશ્રિત પ્રક્રિયા – પાઉડરમાં ઉપલબદ્ધ પડીકીમાં રહેલો પાઉડર ગંઠાઈને તળિયા પર બેસી જાય છે, ત્યારબાદ પાણીમાં ક્લોરિન મુક્ત કરવામાં આવે છે.
  7. અનેકાવરોધ પદ્ધતિઓ - સંમિશ્રણની પ્રક્રિયા અથવા ક્રમશ: અસરકારક પરિણામો મેળવા માટેની કેટલીક વ્ય્વસ્થાઓમાં ઉપરની બે અથવા વધુ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.[૧૮]

રસોડા, સ્નાનાગર અને શૌચાલય માં સ્વચ્છતા ફેરફાર કરો

જંતુઓ ફેલાય તેવા જોખમને ઘટાડવા માટે રસોડા, બાથરૂમ અને શૌચાલય જેવા “સંપર્ક” (હાથ, ખોરાક અને પીવાનું પાણી) સ્થાનો તેમજ સપાટી (જેવા કે શૌચાલય બેઠક, ફ્લ્શ માટેનું હેન્ડલ, દરવાજો, નળ, કામ કરવાની જગ્યા, બાથરૂમ તેમજ બેસીનની સપાટી) પર નિયમિત સફાઈ થવી જોઈએ. [૧૩] યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો શૌચાલય દ્વારા ચેપ લાગવાનું જોખમ ઘણું ઓછું રહે છે. આમ છતાં ફ્લશ પ્રક્રિયા દરમિયાન થોડા છાંટા ઉડવા તેમજ એરોસોલ રચના સર્જાઈ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈને ડાયરીયા (અતિસાર) થયો હોય તેવા સમયે. હાથ ધોયા કે ન્હાયા પછી વોશ બેસીન કે બાથટબ પર રહી ગયેલા મેલ તેમજ ક્ષારમાં પણ જંતુઓ લાંબા સમય સુધી જીવી શકે છે. ફુવારા પાઈપનુ પાણી પર જો ખુલ્લું રહે તો તે જંતુઓ દ્વારા દૂષિત થઈ શકે છે, જ્યારે ફુલારો ચાલુ કરવામાં આવે ત્યારે તે હવામાં ફેલાય છે. જો થોડા સમય માટે ફુવારાનો ઉપયોગ ન થયો હોય તો બીજી વાર તેને ઉપયોગમાં લેતા પહેલા થોડા સમય માટે ઉંચા તાપમાનમાં રાખવો જોઈએ.

પૂર્ણ સ્વચ્છતા માટે ચેપી ફૂગના પ્રસારને અટકાવવું ખૂબ મહત્વનું છે.[૧૯] ફૂગ એ દિવાલ અને જમીનની ટાઈલ્સ તેમજ ક્યારેક ફુવારા પર પણ જીવીત રહી શકે છે. એલર્જી પ્રતિક્રિયાઓ, બગડેલી/ક્ષતિગ્રસ્ત સપાટી અને અપ્રિય ગંધને કારણે આવી ફૂગ પણ ક્યારેક ચેપ માટે કારણભૂત બને છે. નિર્જીવ સપાટીએ ફૂગના વિકાસ માટેની પ્રાથમિક જગ્યા છે, સાથે જ ગાલીચો અને નરમ રાચરચીલું પણ સામેલ છે.[૨૦] હવામાં ઉત્પન્ન થતી ફૂગ એ સામાન્ય રીતે હવાની અવરજવર અથવા ચુસ્ત હવાબંધ વ્યવસ્થા જેવી નરમ પરિસ્થિતિઓ પર આધારિત છે. શૌચાલય અને હાથ ધોવાની વ્યવસ્થાએ વાસને અટકાવી તેમને સામાજિક રીતે સ્વીકાર્ય બનાવવા માટે મહત્વના છે. ખાસ કરીને ઓછી આવક ધરવતા સમુદાયોમાં સામાજીક સ્વીકૃતિ એ મહત્વનો ભાગ છે, જે લોકોને શૌચાલય નો ઉપયોગ કરવા તેમજ હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરે છે.

કપડાની સ્વચ્છતા ફેરફાર કરો

કપડાની સ્વચ્છતાએ રોગોને ઘટાડવા અને સખત કપડા તેમજ ટુવાલ જેવા લિનન કપડા દ્વારા રોગોને ફેલાતા રોકવાની પ્રક્રિયા પર આધારિત છે.[૧૩] રોગાણુ દ્વારા દૂષિત થતી મોટા ભાગની વસ્તુઓ એવી છે કે જે સીધી શરીરના સંપર્કમાં આવે છે. ઉ.દા. આંતરવસ્ત્રો, વ્યક્તિગત રૂમાલ(ટુવાલ), મોઢાના કપડા, નેપી. ઈસ્ત્રીકામ સમયે ચાદર મારફત દુષિત અને દુષિત ન હોય તેવા કપડાઓની વચ્ચે સુક્ષ્મ જંતુઓ પરિવર્તિત થઈ શકે છે. એમઆરએસએ (MRSA) માટે તે નવો સામુદાયિક ચિંતાનો વિષય છે.[૨૧] યુએસએ (USA)ના અનુભવો સૂચવે છે કે, આવો ચેપ પરિવારમાં લાગી શકે છે, એટલું જ નહી તે જેલ, શાળાઓ અને રમત-ગમત જૂથોની સામુદાયિક પ્રક્રિયાઓમાં જોવા મળે છે. ત્વચા-થી-ત્વચાનો સંપર્ક (અનઅબાર્ડિએડ ત્વચા સહિત) અને સંપર્ક દૂષિત તત્ત્તવો જેવા કે રૂમાલ(ટુવાલ), ચાદરો અને રમત-ગમતના સાધનો સાથે સંપર્ક આડકતરી રીતે પ્રસારની પદ્ધતિનું પ્રતિનિધિત્વ કરતા જણાય છે.[૨૧] લિનન અને કપડાની સ્વચ્છતા માટે બે પ્રક્રિયાઓને યોગ્ય માનવામાં આવે છે:[૧૩]

  • 60°સે કે તેથી વધુ તાપમાને કપડા ધોવા કે ઈસ્ત્રી કરવા
  • 30-40° સે તાપમાને કેપડા ધોવા કે ઈસ્ત્રી કરવા તેમજ બ્લીચ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવો: આ ઉત્પાદનો દૂષિત તત્વોને ભૌતિક રીતે દૂર કરે છે અને રાસાયણિક નિષ્ક્રિયતા દ્વારા તેનું શુદ્ધીકરણ કરે છે. જોકે કેટલાક પ્રકારની ફૂગ અને વાઇરસ એવા પણ હોય છે કે જેમને નિષ્ક્રિય કરવા મુશ્કેલ છે અથવા તો દૂર કરી શકાતા નથી. 40°સે અથવા તેનાથી નીચા તાપમાને બ્લીચ ન હોય તેવા ઉત્પાદનો દ્વારા કપડા ધોવાથી, અપૂરતું શુદ્ધિકરણ થવાનું જોખમ રહેલું હોય છે તેમ માનવામાં આવે છે.

ઘરમાં તબીબી સ્વચ્છતા ફેરફાર કરો

ઘરમાં તબીબી સ્વચ્છતાનો સંબંધ એવી સ્વાસ્થ્ય સંબંધી રીતો સાથે છે, જેમાં રોગને અટકાવવા અથવા ઘટાડવા કે ફેલાતો અટકાવવા માટે જે લોકો ચેપગ્રસ્ત છે અથવા તો 'ખતરા પર' છે, તેમની દવાના ઉપયોગ દ્વારા કાળજી રાખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં, સરકારો ઉપર દબાણ વધી રહ્યું છે કે, તેઓ લોકોની અપેક્ષા પ્રમાણે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે નાણાંની ફાળવણી કરે. સમુદાયમાં વધી રહેલા દર્દીઓની કાળજી, જેમાં ઘરનો પણ સમાવેશ થાય છે, તે એક જવાબ છે, પરંતુ, ઘરમાં અપૂર્તા ચેપ નિયંત્રણને કારણે ભયંકર હદ સુધી ઈજા (નુકસાન) પહોંચાડી શકે છે. 'ખતરા પર'ના આ બધાં જૂથોની ઘરમાં કાળજી લેવાનું ચલણ વધી રહ્યું છે, કાળજી લેનાર ઘરની સભ્ય હોય શકે છે, આથી તેને સ્વાસ્થ્ય સંબંધી સારી સમજણની જરૂર રહે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, જેમની ઘરે કાળજી લેવામાં આવતી હોય, તેવા લોકોની કુલ વસ્તીની ટકાવારી દિવસે-દિવસે વધી રહી છે. (વર્તમાન સમયમાં 20 ટકા સુધી છે.)[૫] તેમાં સૌથી વધુ હિસ્સો ઉંમરલાયક લોકોનો છે, જેમને લાંબી સારવારની જરૂર રહે છે, જેના કારણે, ચેપ સામેની તેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. તેમાં ખૂબ યુવાન દર્દીઓ, હોસ્પિટલોમાંથી રજા અપાયેલા દર્દીઓ, રોગપ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ કરવાની દવા લેનારા અથવા તો આક્રમક તંત્રનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. હોસ્પિટલોમાંથી રજા અપાયેલાં દર્દીઓ, અથવા તો જેમને ઘરે સારવાર આપવામાં આવી રહી હોય તેમની ઉપર 'તબીબી સ્વચ્છતા' (ઉપર જુઓ) આપવાની ખાસ પ્રક્રિયા કરવાની જરૂર રહે છે, જેમ કે શરીરમાંથી પેશાબ વગેરે કાઢવાની નળી કે ઘા પર મલમપટ્ટી વગેરે દ્વારા તેમને ચેપ લાગવાનું જોખમ ઊંચું રહે છે.

સડા માટે કારણ બની શકે તેવાં ઘાવના ઘસરકાંના માર્ગે હાનિકારક જીવાણુનો પ્રવેશ અટકાવી શકાય તેવા ઘા ઉપર ચેપરોધકો લગાડી શકાયછે. રોજબરોજની સ્વાસ્થ્ય ટેવો, સિવાય દવા દ્વારા સ્વાસ્થ્ય પદ્ધતિઓ [૨૨] જેને ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય તે અને પરિવારના બીજા સભ્યો પણ છે. પરંતુ ફેર એટલો છે કે, જો આ સ્વાસ્થ્ય સંબંધી રીતિઓને યોગ્ય રીતે અનુસરવામાં ન આવે તો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

ઓછી આવક ધરાવતા પરિવારોમાં ગૃહ સ્વચ્છતા ફેરફાર કરો

વિકસતાં રાષ્ટ્રોમાં દાયકાઓથી, પાણી અને સ્વચ્છતા સંબંધી સુધારણા સુધી સાર્વત્રિક પહોંચને, અટકાવી શકાય તેવા ચેપકારક રોગો (આઈડી)ના ભારણને ઘટાડવા માટેના પાયાના પગલાં તરીકે જોવામાં આવે છે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, સ્વાસ્થ્ય સંબંધી ઉત્તેજનને જળ ગુણવત્તા અને પ્રાપ્યતામાં સ્વચ્છતાને સાંકળી લેવામાં આવે તેવા કાર્યક્રમો દ્વારા વધુ સારી રીતે સાધી શકાય છે. દર વર્ષે લગભગ 2 મિલિયન લોકો (વીસ લાખ લોકો) અતિસારને લગતિ બિમારીઓના કારણે અવસાન પામે છે, જેમાંના મોટાભાગે પાંચ વર્ષથી નીચેના બાળકો છે.[૨૩] મોટાભાગની વસ્તી વિકાશીલ રાષ્ટ્રોમાં છે, જેઓ અત્યંત ગરીબ સ્થિતિમાં રહે છે, સામાન્ય રીતે શહેરી-વિસ્તારોની બહાર રહેતાં કચરા વિણનારા અથવા ગ્રામીણ નિવાસીઓ છે. પૂરતી માત્રામાં શુદ્ધ પાણી પૂરું પાડવું, મળમૂત્રનો આરોગ્ય સભર નિકાલ કરતી સવલતોની જોગવાઈઓ, સ્વાસ્થ્ય આદલતો ગહન રીતે સામેલ કરવી, આ બધાં જોખમી પરીબળો બિમારીનું ભારણ ઘટાડવા માટે અગત્યના છે.

સંશોધનો દર્શાવે છે કે, જો વ્યાપક રીતે અનુસરણ કરવામાં આવે તો, સાબુ દ્વારા હાથ ધોવાથી અતિસારની શક્યતા પચાસ ટકા સુધી ઘટાડી શકાય છે. [૨૪][૨૫][૨૬] અને શ્વાચ્છોસ્વાસના ચેપ લગભગ પચ્ચીસ ટકા સુધી [૨૭][૨૮] સાબુ દ્વારા હાથ ધોવાથી ચર્મ રોગો [૨૯][૩૦] આંખના ચેપ જેમ કે, ટ્રેકોમા અને અન્નનળીની નીચેના ભાગમાં કૃમિ, ખાસ કરીને એસ્કેરિયાસિસ અને ત્રિચ્યુરાસીસ, [૩૧]નું ભારણ ઘટે છે.

ઓછી આવક ધરાવતા સમુદાયોમાં ચેપના પ્રસાર માટેની સાંકળને તોડવાના ભાગરૂપે અન્ય સ્વચ્છતા પદ્ધતિઓ જેવી કે કચરાનો નિકાલ, સપાટીની સ્વચ્છતા, પાલતું પ્રાણીઓની સંભાળ વિગેરે જોવા મળે છે.[૩૨]

ઘરમાં ચેપમુક્ત અને જંતુરોધક સ્વચ્છતા ફેરફાર કરો

રાસાયણિક જંતુનાશકો એવા ઉત્પાદનો છે, જે જીવાણુઓનો નાશ કરે છે, (હાનિકારક જીવાણુ, રોગ ઉત્પન્ન કરનાર અતિ સૂક્ષ્મ જંતુ, અને ફૂગ). જો કોઈ ઉત્પાદન જંતુનાશક હોય તો તે ઉત્પાદન ઉપરની કાપલીમાં જણાવાયું હોવું જોઈએ કે, "જંતુનાશક" અને/અથવા સૂક્ષ્મજીવ-જંતુ, જીવાણુ વગેરે "મારે" છે. કેટલાંક વ્યવસાયિક ઉત્પાદનો, જેમ કે, બ્લીચ, તાંત્રિકી દ્રષ્ટીએ જંતુનાશક હોવા છતાં, તેમને "જંતુ મારનાર" કહેવામાં આવે છે, છતાં વાસ્તવમાં તેમને "જંતુનાશક" તરીકે વર્ગીકૃત્ત કરવામાં નથી આવતા. બધા જંતુનાશકો, તમામ પ્રકારના સૂક્ષ્મ જીવજંતુઓને મારતા નથી. બધા જંતુનાશકો જીવાણુઓ મારે છે (બેક્ટેરિડકલ તરીકે ઓળખાય છે). કેટલાક ફૂગનો પણ નાશ કરે છે (ફંગીસાઈડલ), જીવાણુના બીજકણો (સ્પોરિસાઈડલ) અને/અથવા સૂક્ષ્મજીવજંતુઓ (વાઈરુસિડલ).

રોગપ્રતિરોધક ઉત્પાદન એ એવું ઉત્પાદન છે કે, જે જીવાણુઓ સામે કેટલીક અચોક્કસ રીતે કામ કરે છે. કેટલાક ઉત્પાદનોને "એન્ટીબેક્ટેરિયલ"ની શ્રેણીમાં મૂકવામાં આવે છે, જે બેક્ટેરિયાનો નાશ કરે છે, જ્યારે બીજા કેટલાકમાં એ પ્રકારના સક્રિય ઘટકો હોય છે કે, જે માત્ર તેમની (બેક્ટેરિયા) વૃદ્ધિ થતી અટકાવે છે. આથી, ઉત્પાદનની કાપલી "જીવાણુ મારે છે કે નહીં" એવું સૂચવે છે કે, કેમ તે ચકાસવું અગત્યનું છે. ઉત્પાદન ઉપરની કાપલીમાં જણાવવામાં આવ્યું ન હોય તો, ચેપ પ્રતિરોધક ફૂગ-રોધક કે સૂક્ષ્મ જીવાણુરોધક હોય તેમ જરૂરી નથી. સાફકરનાર પરિભાષાનો ઉપયોગ એવા ઘટકોને વ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવે છે, જે સાફ કરવાનું અને જંતુનાશક તરીકેનું કામ કરે છે. તાજેતરના સમયમાં આ પરિભાષાનો ઉપયોગ મદ્યાર્ક (આલ્કોહોલ) – આધારિત ઉત્પાદનો માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ હાથના જંતુઓનો નાશ કરવા માટે કરવામાં આવે છે (મદ્યાર્ક આધારિત હાથ સાફકરનારાઓ). જોકે, મદ્યાર્ક આધારિત હાથ સાફ કરનારાઓને કઠણ હોવાથી અસરકારક ગણવામાં નથી આવતા. બાયોસાઈડની પરિભાષા એક બૃહૃદ પરિભાષા છે, જેમાં એવા ઘટક હોય છે, જે મારે છે, સજીવોને નિયંત્રિત કરે છે અથવા તેમને નિષ્ક્રિય બનાવે છે. તેમાં રોગપ્રતિરોધકો અને જંતુનાશકોનો સમાવેશ થાય છે, જે અતિસૂક્ષ્મજંતુને ટક્કર આપે છે અને જંતુનો નાશ કરનાર જંતુઓનો નાશ કરે છે.

શરીરિક સ્વચ્છતા ફેરફાર કરો

શરીરિક સ્વચ્છતા એ સ્વચ્છતા દ્વારા કોઈ એકના આરોગ્ય અને કલ્યાણની વ્યક્તિગત સંભાળ લેવા માટે કરવામાં આવતી પ્રક્રિયા સાથે સંબંધીત છે. વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી પ્રક્રિયાઓમાં વ્યક્તિગત માંદગીમાં, સંભાળ, શ્રેષ્ઠ આરોગ્ય અને સારા રહેવાની સમજ, સામાજીક સ્વીકૃતિ તેમજ અન્ય સ્થળોએ માંદગીના પ્રસારને અટકાવવા સહિતની પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે વ્યક્તિગત સ્વચ્છતામાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ છે: ડૉક્ટરને બતાવવું, ડેન્ટિસ્ટ(દાંતના ડૉક્ટકને બતાવવું), નિયમિત રીતે ધોવું/ન્હાવું અને સ્વસ્થ આહાર લેવો. વયક્તિગત વિકાસ સાધવો એ પણ વ્યક્તિગત સ્વચ્છતા જ છે કારણ કે, તે સારા વ્યક્તિગત અને વ્યવસાયિક દેખાવને જાળવવા પર આધારિત છે, જે સ્વચ્છતા માટે અનિવાર્ય છે. શરીર સ્વાસ્થ્ય એ વ્યક્તિગત શરીર સ્વચ્છતા માટેના ઉત્પાદનોના ઉપયોગ દ્વારા સાધી શકાય છે, આવા ઉત્પાદનોમાં સમાવિષ્ટ છે: સાબુ, વાળ ધોવા માટેનું શેમ્પુ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, કોટન સ્વેબ( કાન સાફ કરવાનું સાધન), બોડી ડિઓડ્રન્ટ, ફેસીયલ ટિસ્યુ ( નાનો રુમાલ) , માઉથ વોશ, નેલ કટર અને ત્વચાની શુદ્ધિ માટેના સાધનો તથા શૌચાલય પેપર જેવી અન્ય વસ્તુઓ.

અતિશય શરીર સ્વાસ્થ્ય ફેરફાર કરો

વધુ પડતી શરીર સ્વચ્છતાનું જોખમ એ શરીર સ્વાસ્થ્યથી થતા લાભોને ઘટાડી શકે છે, જે અલર્જી રોગો અને શરીર પર ખંજવાળ પેદા કરે છે તેવી ધારણા છે.

અતિશય શરીર સ્વાસ્થ્ય અને એલર્જી (અણગમો) ફેરફાર કરો

સ્વચ્છતા અંગેની ધારણા સૌ પ્રથમ 1989માં સ્ટ્રેચન દ્વારા વિકસાવવામાં આવી હતી, તેનું નિરીક્ષણ હતું કે કુંટુંબની સંખ્યા અને એટોપિક એલર્જીના વિકાર વચ્ચે એક વિપરીત સંબંધ હતો, જો કુંટુંબમાં વધુ બાળકો હોય તો તેઓની આ એલર્જી ઓછી વિકસીત હતી.[૩૩] આ પરથી તેણે અનુમાન કર્યું કે બાળપણની શરૂઆતમાં મોટા ભાઈ-બહેનો સાથેના સંપર્ક દ્વારા ચેપના પ્રસારનો અભાવ હોય છે, જેના કારણે છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષોમાં એટોપિક વિકારોમાં ઝડપી વધારો થાય છે. સ્ટ્રેચને વધુમાં રજૂઆત કરી કે, આ પ્રસાર લાંબા સમય સુધી ટકતો નથી તેના કારણોમાં માત્ર કુટુંબની સંખ્યા જ નહીં પરંતુ "સુવિધા અને વ્યક્તિગત સ્વચ્છતાના ઉચ્ચ જીવન ધોરણોમાં આવેલો સુઘારો જવાબદાર છે."

જોકે આ સંદર્ભે કેટલાક મજબૂત પૂરાવા મળ્યા છે કે, માઈક્રોબિયલ સાથે સંપર્ક શરૂઆતના બાળપણમાં કોઈક રીતે એલર્જીનો પ્રતિકાર કરે છે, જોકે એવા કોઈ પુરાવા નથી કે, આ હાનિકારક માઇક્રોબેસના(ચેપ)ના સંપર્કની અથવા આપણને વસ્તુલક્ષી ચેપ સહન કરવાની જરૂર છે.[૩૪][૩૫][૩૬]એવા કોઈ પુરવા નથી કે, હાથ ધોવા, ખોરાક સ્વચ્છતા વગેરે જેવા સ્વાસ્થ્યના માપદંડો એટોપિક રોગોની ગ્રહણ ક્ષમતામાં વધારો કરવા સાથે સંબંધિત છે. આ પરિસ્થિતિમાં ચેપ અટકાવવા અને એલર્જી ઘટાડવા અંગેના લક્ષ્યો વચ્ચે કોઈ વિવાદ નથી.[૩૧][૩૨] નિષ્ણાંતો વચ્ચે વિકાસી રહેલી સર્વસંમતિ પ્રમાણે, આ અંગેનો જવાબ જીવનપ્રણાલીમાં વધુ પડતા મૂળભૂત ફેરફારોમાં રહેલો છે. જેના કારણે માઈક્રોબીઅલ અથવા અન્ય જીવાણું જેવા કે હેલ્મીથ્સ - જે ખૂબ મહત્વનાછે, ઈમ્યુનો રેગ્યુલેટરી મિકેનીસમ (રોગ નિયંત્રક વ્યવસ્થાતંત્ર) સાથેનો સંપર્ક તૂટી ગયો છે.[૩૭] તેમ છતાં હજુ પણ ઘણી અન્શ્ચિતતાઓ છે કે, જેમ કે, જીવન જીવનશૈલીના કયા ફેરફાર તેની સાથે સંકળાયેલા છે.


માધ્યમોમાં પ્રકાશિત માહિતી પ્રમાણે સ્વાસ્થ્યની પરિકલ્પના નકારવામાં આવી છે, એક મજબૂત ‘સામૂહિક વિચારધારા’ એવું સ્થાપિત કર્યું છે કે ધૂળ ‘સ્વાસ્થ્ય માટે હિતકારક’ છે અને સ્વાસ્થ્ય કોઈક રીતે ‘અકૃત્રિમ’ છે. આ મત સ્વાસ્થ્ય નિષ્ણાંતો વચ્ચે મહત્વનો બન્યો છે. દૈનિક જીવનમાં જાહેર આરોગ્યના પાયા સમાન સ્વાસ્થ્ય વર્તનો, પાયાવિહોણા બન્યાં છે. ઘરમાં તેમજ દૈનિક જીવનપ્રાણાલીમાં અસરકારક સ્વાસ્થ્યના પ્રતિસાદરૂપે, ગૃહ સ્વાસ્થ્ય પરના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચે (ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન) ગૃહ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને "જોખમ-આધારિત" અથવા નિર્ધારિત અભિગમ વિકસાવ્યો છે, જે સ્થળ આધારિત સ્વચ્છતા પગલાં ઉપરાંત સમય આધારિત ચેપના પ્રસાર અટકાવવા માટે સ્વચ્છતા માપદંડોની ખાતરી કરવા કહે છે.[૬] નિર્ધારિત સ્વાસ્થ્ય વિજ્ઞાનની સ્વચ્છતાનો ઉદ્ભવ મૂળત: સ્વચ્છતા પ્રક્રિયાના અસરકાર અભિગમ તરીકે થયો હતો, તેમાં શક્ય હોય ત્યાં સુધી સામાન્ય પ્રમાણમાં આપણા પર્યાવરણની વનસ્પતિનો સંપર્ક (માઈક્રોબાયોલ ફ્લોરા) એટલા પૂરતું સંતુલિત રોગપ્રતિકારક વ્યવસ્થાનું ઘડતર કરે છે.

કાનના બહારના ભાગોમાં અતિશય શરીર સ્વચ્છતા ફેરફાર કરો

વધુ પડતી સ્વચ્છતાએ કાનની નસોમાં ચેપ અથવા ખંજવાળરૂપે પરીણમે છે. કાનની નસો શરીરના અન્ય ભાગો કરતા ઓછી સ્વચ્છતા સંભાળ માંગે છે, કારણ કે તે સંવેદનશીલ છે અને શરીરની પ્રક્રિયા પર્યાપ્ત રીતે આ ભાગોની સંભાળ રાખે છે. મોટા ભાગે કાનની નસો જાતે સાફ થાય છે. જે કાનની નસોની ત્વચાનું કાનના પડદાથી કાનના બહાના ભાગ સુધીનું ધીમું અને ક્રમાનુસાર સ્થળાંતર છે. જામી ગયેલો કાનનો મેલ કાનની નસોના અંદરના ભાગોમાંથી બહારની તરફ આવે છે, જે સામાન્ય રીતે સૂકાં અને પોપડી સ્વરૂપે બહાર પડી જાય છે.[૩૮] કાનની નસોમાંથી જામેલો મેલ દૂર કરવાનો પ્રયાસ એ વાસ્તવિક રીતે મેલના દબાણ તેમજ કાનમાં વિદેશી સામગ્રી નાખી, તે દ્વારા કાનની નસોમાં સફાઈમાં ઘટાડો કરવા સમાન છે, કારણ કે કાનનો મેલ પોતાની મેળે બહાર આવવાની પ્રક્રિયા કુદરતી છે.

ચામડીની અતિશય શરીર સ્વચ્છતા ફેરફાર કરો

ત્વચાની વધુ પડતી સ્વચ્છતાએ ખંજવાળમાં પરિણમે છે. ત્વચા કુદરતી તૈલીય આવરણ ધરાવે છે, જે લવચીકતામાં વધારો કરે છે અને ત્વચાને સૂકી થવા સામે રક્ષણ આપે છે. ત્વચા ધોવા સમયે, જરૂરી ન હોય તેવી જલીય ક્રિમના ઉપોયગ નુકસાનકારક પ્રક્રિયા આ આવરણને દૂર કરે છે અને ત્વચાને અસુરક્ષિત બનાવે છે. વધુ પડતા સાબુનો ઉપયોગ, ક્રીમ અને જેલ પણ ત્વચાની કુદરતી પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે સાબુ અને ઉટણું (શરીરે ચોળવાનો લેપ) એ ત્વચાના કુદરત રક્ષિત તેલ અને ચરબીયુક્ત પદાર્થો કે જેઓ કોલીકેલ્સિફેરોલ (વિટામિન D3) અને બાહ્ય પદાર્થો શોષાઈ જઈને, કુદરતી હોર્મોનલ સંતુલન ખોરવી શકે છે.

રસોઈમાં (આહાર) સ્વચ્છતા ફેરફાર કરો

રસોઈ સ્વાસ્થ્ય એ આહાર વ્યવસ્થાપન અને ખોરાકને દૂષિત થતો અટકાવવા, ખોરાકને ઝેરી થતો અટકાવવા તેમજ રોગોને અન્ય ખોરાક, માણસો અથવા પશુઓમાં પ્રસાર થતા અટકાવવા માટેની રાંધવાની પ્રક્રિયા (રસોઈ) સાથે સંબંધિત છે. રસોઈ સ્વચ્છતા પ્રક્રિયાઓ ખોરાકની સંભાળ, સંગ્રહ, તૈયારી, પીરસવું અને ખાવાના સુરક્ષિત માર્ગોની સ્પષ્ટતા કરે છે.

રસોઈ પ્રક્રિયામાં સમાવિષ્ટ છે:

  • ખોરાક રાંધવાની જગ્યા અને સાધનોને સાફ તેમજ જંતુમુક્ત રાખવા (ઉ.દા. શાકભાજી અને અન્ય કાચું માસ સમારવા માટે જંતુમુક્ત કાપવાનું પાટિયું વાપરવું). સફાઈમાં ક્લોરીન બ્લીચ, ઈથેનોલ, અલ્ટ્રાવાયોલેટ લાઈટ વિગેરેનો જંતુમક્તિ માટે કરવો.
  • સંભાળ માટે માંસાહારનો ખરાબ ભાગ કે જે ટ્રિચિના, વોર્મ્સ, સાલમોનેલા અન્ય રોંગાણુઓથી દૂષિત હોય; અથવા સંદિગ્ધ માંસાહારને રાંખધી વખતે ટાળવા.
  • કાચા ખાદ્યપદાર્થો જેવા કે સુશિ અને સશિમીને તૈયાર કરતી વખતે ખાસ સંભાળ રાખવી.
  • સાબુ અને ચોખ્ખાં પાણી દ્વારા સંગ્રહિત થાળીઓ ધોઈને સાફ કરવી.
  • કોઈ પણ ખાદ્યપદાર્થને અડતાં પહેલાં હાથ ધોવા.
  • ભોજન તૈયાર કરતી વખતે રંધાયા ન હોય તેવા ખાદ્યપદાર્થોને અડ્યા બાદ હાથ ધોવા.
  • જુદો જુદો ખોરાક તૈયાર કરવા માટે એકના એક વાસણોનો ઉપોયગ ન કરવો.
  • જમવા સમયે કટલરિ (છરી-કાંટા) ને પરસ્પર વહેંચવા નહી.
  • જમતી વખતે કે જમ્યા બાદ હાથ કે આંગળીઓને ચાટવી નહીં.
  • લીક થતા વાસણોનો પીરસવા માટે ફરી ઉપયોગ ન કરવો.
  • કીટકો દ્વારા દૂષિત થતા અટકાવવા ખાદ્ય પદાર્થોનો યોગ્ય સંગ્રહ કરવો.
  • ખાદ્યપદાર્થોને ઠંડા રાખવા. (અને વિશેષ ખાદ્યપદાર્થોને જ્યાં ઠંડક ના હોય કે સંભવ ના હોય એવી જગ્યાએથી ટાળવા. )
  • ખાદ્યપદાર્થો પર કાપલી દ્વારા તે ક્યારે બનયા છે તેનો નિર્દેશ હોય છે. (અથવા ઉત્પાદનકર્તાઓ આ તારિખ "પહેલા સુધી યોગ્ય" એવું દર્શાવવું પસંદ કરે છે.
  • ખાવામાં ન આવ્યો હોય તેવા ખોરાકનો યોગ્ય નિકાલ અને તેનું પેકેજિંગ.

વ્યક્તિગત સ્વચ્છતા સેવા ફેરફાર કરો

વ્યક્તિગત સ્વચ્છતાએ લોકોની વ્યક્તિગત સંભાળના વ્યવહાર માટેના સાધનોનો ઉપયોગ અને સંભાળ માટેની પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે.

વ્યક્તિગત સ્વચ્છતાની કાર્યપ્રણાલીમાં સમાવિષ્ટ છે:

  • વાળંદ, એસ્થેટીસીયન્સ અને અન્ય સેવા આપનારા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોને જંતમુક્ત કરવા.
  • બોડી પીયરસીંગ (વીંધવા) અને ટેટુ બનાવવા માટેના સાધનોને (બાષ્પદબાણયંત્ર) દ્વારા જંતુમુક્ત કરવા.
  • હાથ સાફ રાખવા.

સ્વચ્છતા પ્રક્રિયાનો ઇતિહાસ ફેરફાર કરો

વિસ્તૃત રીતે સ્વાસ્થ્ય વિજ્ઞાનની નોંધ મનુસ્મૃતિ અને વિષ્ણુ પુરાણ જેવા હિંદુ લખાણોમાં મળી આવે છે.[૩૯] હિન્દુ ધર્મ પ્રમાણે ન્હાવાની પ્રક્રિયાએ નિત્ય ક્રમોમંથી એક છે, અને કેટલાક ધર્મગ્રંથો પ્રમાણે તેમ ન કરવું એ પાપ છે. આ લખાણો આધ્યાત્મિક શુદ્ધતાના વિચારો પર આધારિત છે, અને તે રોગના કારણોની સમજ અને તેમના પ્રાસાર અર્થને દર્શાવતા ન હતા. તેમ છતાં શુદ્ધતાની રીતિઓ પરના કેટલાક નિયમો સ્વાસ્થ્ય સુધારે છે, મહામારીના વિજ્ઞાનની દૃષ્ટિએ, કદાચ કોઈ દુર્ઘટનાના કારણે, કેટલીક રીતિઓએ અનુભવના આધાર પર આરોગ્ય સાથે સીધો સંબંધ હોવાના કારણે, રૂઢીઓનું સ્થાન લીધું. દૈનિક સ્નાનની ક્રિયા રોમના જીવનશૈલીમાં ગુણવત્તા ચિહ્ન (હોલમાર્ક) સમાન હતી.[૪૦] શહેરી વિસ્તારોમાં લોકોની સેવા અર્થે મોટા સ્નાનાગર બનાવવામં આવ્યા હતા, જેમાં માળખાકીય રીતે વ્યક્તિગત સ્વચ્છતા જળવાઈ રહે તેવી સામાન્પય માંગ હતી. આવા પરિસર સામાન્ય રીતે વિશાળ હતા, જેમાં સ્વીમીંગ પુલ જેવા સ્નાનાગર, નાના ઠંડા અને ગરમ હોજ, બાષ્પરુમ તેમજ ઝરા (સ્પા) જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી, જ્યાં વ્યક્તિઓ પોતાના વાળ સાફ કર શકતા, તેલ લગાવી શકતા અને માલિશ કરી શકતા. પાણી સતત નાની નહેરો દ્વારા વહ્યા કરતું હતું. શહેરી કેન્દ્રો બહારના સ્નાનાગર નાના હતા અને સ્નાન માટેની ઓછી સુવિધાઓ ધરાવતા હતા. અથવા શરીર સાફ કરવાનું પાણી સાદું રહેતું. રોમના શહેરો મોટી ગટરો જેવી કે રોમની ક્લોઅકા મેક્સિમા ધરાવતા કે જે દ્વારા જાહેર અને ખાનગી મળમૂત્રના નિકાલની વ્યવસ્થા હતી. રોમન લોકોએ ક્યારેય ફ્લશ – ટોઈલેટ (શૌચાલય)ની માંગણી કરી નહોતી. પણ તેઓ પાસે નાના શૌચાલય હતા, જેમાંથી સતત આંતરિક જળનું વહેણ યથાવત રહેતું. (આવા શૌચાલય ફિલ્મ એક્સોડસ ની અકરે જેલમાં દર્શાવવામાં આવ્યા છે.) છેક 19મી સદી સુધી, પશ્ચિમિના શિક્ષિત શહેરો જ સામાન્ય રીતે શૌચાલય માટેની શારીરિક પ્રક્રિયા સંદર્ભેની આંતરિક સુવિધાઓ ધરાવતા હતા. ગરીબ સંપ્રદાયના બહુમતિ લોકો ઘરના પાછળના ભાગે અથવાં આંગણાંમાં બાંધેલ ખાળકૂવા ઉપર સામુદાયિક સુવિધાઓનો ઉપયોગ કરતા હતા. જોકે તેમાં ફેરફાર આવ્યો જ્યારે, ડૉ. જ્હોન સ્નો દ્વારા શોધવામાં આવ્યું કે કોલેરાએ સૌચ સંબધી દૂષિત પાણીથી ફેલાય છે. સરકાર અને આરોગ્ય સંશોધકો ધીરે ધીરે સ્વીકારતા થયા કે નાળીના ઉપયોગ દ્વારા દૂષિત પાણીમાંથી માનવ કચરાના નિકાલ દ્વારા થાય છે. આ પ્રોત્સાહને ફ્લશ ટોઈલેટ (શૌચાલય) અને સ્નાનાગર ઘરમાં અને શક્ય હોય તો ખાનગી હોવા જોઈએ તેવી નૈતિક અનિવાર્યતાને મોટા પાયે સ્વીકૃત બનાવી.[૪૧]

ઈસ્લામિક કાયદાશાસ્ત્રમાં સ્વચ્છતા ફેરફાર કરો

7મી સદીથી ઈસ્લામ નિયમિત રીતે પ્રબળ સ્વચ્છતા પર ભાર મૂકે છે. બીજી તરફ રિવાજ પ્રમાણે દૈનિક પ્રાર્થના (અરેબિક- સલાત ) માટે યોગ્ય સમયે સ્વચ્છ થવું જરૂરી છે. વુદુ અને ઘુસલ માટે મુસ્લિમોના જીવનમાં સ્વચ્છતા અનેક નિયમો છે, જેનો મોટા પ્રમાણમાં અમલ થાય છે. અન્ય મુદ્દાઓએ પણ ઈસ્લામિક આહાર સંબંધી કાયદાઓ સામાવિષ્ટ છે. સામાન્ય રીતે કુરાન ઊંચા શારીરિક સ્વચ્છતા મૂલ્યો અને શક્ય હોય તો ધાર્મિક રીતે સ્વચ્છ રહેવાની સલાહ આપે છે.


પ્રાચીન યુરોપમાં સ્વચ્છતા ફેરફાર કરો

પ્રચલિત માન્યતાથી અસંગત હોવા [૪૨] અને તેમ છતા પહેલાના ખિસ્તી આગાવાનો સ્નાન અધાર્મિક છે, તેવી વાતને વખોડી કાઢે છે.[૪૩] સ્નાન અને સ્વચ્છતા રોમન સામ્રાજ્યના પતનની સાથે યુરોપમાંથી લુપ્ત થયા નહોતા.[૪૪][૪૫] સાબુ બનાવવાની પ્રક્રિયા સૌ પ્રથમવાર કથિત "અંધાર યુગ" દરમિયાન અસ્તિત્વમાં આવી હતી. રોમન લોકો અન્ય વિકલ્પો વચ્ચે મોટા ભાગે સુગંધિત તેલનો (મોટા ભાગે ઈજિપ્ત તરફના) ઉપયોગ કરતા. યુરોપમાં ટૂંકા પુનજાગરણ કાળ પૂર્વે સુધી સ્નાન ક્રિયા ફેશન તરીકે ઉભરી આવી ન હતી. બાદમાં તેનું સ્થાન સ્વેટ-બાથિંગ (પરસેવા-સ્નાન) અને સુગંધી તેલે લીધું. કારણ કે યુરોપમાં એવી માન્યતા હતી કે પાણી ત્વચાના માધ્યમથી શરીરમાં બીમારી ફેલાવી શકે છે. (વાસ્તવમાં પાણી, બીમારી ફેલાવે છે પરંતુ, મોટે ભાગે ત્યારે કે જ્યારે એક વ્યક્તિ દ્વારા ન્હાવામાં વપારેયું પાણી બીજા દ્વારા પીવાના ઉપયોગમાં લેવામાં આવે અને પાણી ત્યારે જ બીમારી ફેલાવે છે જ્યારે તે રોગાણુઓથી દૂષિત હોય.)

મધ્યયુગીન ચર્ચ સત્તાવાળા માનતા કે જાહેર સ્નાનક્રિયા એ અનૈતિકતા અને રોગો માટેનું વાતાવરણ ઉભું કરે છે. રોમન કેથલિક ચર્ચે ઔપચારિક રીતે જાહેર સ્નાનક્રિયા પર પ્રચિબંધ મૂક્યો હતો, જોકે તે યુરોપમાં વ્યાપક ધોરણે ઉપદંશ ગરમીવાળી મહામારીને નાથવાનો એક નિષ્ફળ પ્રયાસ હતો.[૪૬] 19મી અને 20મી સદી સુધી આધુનિક આરોગ્ય અને સ્વચ્છતા વ્યાપક રીતે સ્વીકાર્ય બન્યા ન હતા. મધ્યકાલીન ઇતિહાસવિદ લીન થોર્નડીકેના મતે મધ્યકાલીન યુરોપમાં લોકો 19મી સદીના લોકો કરતા એ કરતા વધુ સ્નાન કરતા હતા.[૪૭]

અભ્યાસ સામગ્રી ફેરફાર કરો

  • આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા અને પર્યાવરણીય આરોગ્ય જર્નલ, આઈએસએસએન (ISSN):1438-4639, એલ્સેવિઅર

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. ὑγιεινός, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબોર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લિશન લેક્સિકોન , ઓન પર્સેયુસ
  2. ὑγιής, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબોર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લીશ લેક્સિકોન , ઓન પર્સેયુસ
  3. ὑγίεια, હેન્રી જ્યોર્જ લિડ્ડેલ, રોબર્ટ સ્કોટ્ટ, અ ગ્રીક-ઈંગ્લીશ લેક્સિકોન , ઓન પેર્સેયુસ
  4. http://www.nytimes.com/2009/09/17/health/17chen.html વાય ડોન્ટ ડોક્ટર્સ વોશ ધેર હેન્ડ્સ મોર?
  5. ૫.૦ ૫.૧ ૫.૨ બ્લોમફિલ્ડ એસએફ, એક્નેર એમ, ફારા જીમ, નાથ કેજી, સ્કોટ્ટ, ઈએ; વાન દેર વોરડેન સી. ધી ગ્લોબલ બર્ડન ઓફ હાઈજિન- રિલેટેડ ડિસીઝ ઈન રિલેશન ટુ હોમ એન્ડ કોમ્મયુનિટી. (2009) ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. Available from: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/29858aa006faaa22802572970064b6e8?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  7. બ્લોમફિલ્ડ, એસએફ, એલિઓ એઈ, કુક્સોન બી, ઓ’બોયેલ સી, લાર્સન, ઈએલ, ધી ઈફેક્ટિવનેસ ઓફ હેન્ડ હાઈજિન પ્રોડ્યુસર્સ ઈનક્લુડિંગ હેન્ડવોશિંગ એન્ડ આલ્કોહોલ-બેસ્ડ હેન્ડ સેનિટરિઝર્સ ઈન રેડ્યુસિંગ ધી રિસ્ક ઓફ ઈન્ફેક્શન્સ ઈન હોમ એન્ડ કમ્યુનિટી સેટિંગ્સ” અમેરિકન જર્નલ ઓફ ઈન્ફેક્શન 2007;35, પુરવણી 1:S1-64
  8. 14.1
  9. ૯.૦ ૯.૧ કોમ્બેટિંગ વોટરબોર્ન ડિસીઝ એટ ધી હાઉસહોલ્ડ લેવલ. World Health Organisation 2007 http://www.who.int/water_sanitation_health/publications/combating_diseasepart1lowres.pdf
  10. ૧૦.૦ ૧૦.૧ ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. હાઉસહોલ્ડ વોટર સ્ટોરેજ, હેન્ડલિંગ એન્ડ પોઈન્ટ-ઓફ-યુસ ટ્રિટમેન્ટ (2005) http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/a639aacb2d462a2180257506004d35db/aa885658ec1f19ee8025752200559653?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  11. ક્લાસેન ટીએફ, હાલ્લેર એલ. વોટર ક્વાલિટી ઈન્વેન્શન ટુ પ્રિવેન્ટ ડિઓર્રોહ:કોસ્ટ એન્ડ કોસ્ટ-ઈફેક્ટિવનેસ. 2008, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન , જિનેવા. ધી રિપોર્ટ ઈસ અવેલેબલ ફ્રોમ: http://www.who.int/water_sanitation_health/economic/prevent_diarrhoea/en/index.html સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન
  12. ૧૨.૦ ૧૨.૧ હાઉસહોલ્ડ વોટર ટ્રીટમેન્ટ ફોલોઈંગ ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સીસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ બેઉમેર આર, બ્લોમ્ફિલ્ડ એસએફ, એક્સનેર એમ, ફારા જીએમ, નાથ કેજી, સ્કોટ્ટ ઈએ. હાઈજિન પ્રોસિજર્સ ઈન ધી હોમ એન્ડ ધેર ઈફેક્ટિવનેસ: અ રિવ્યુ ઓફ ધી સાયન્ટિફીક એવિડેન્સ બેસ (2008). ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. ઉપરથી ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/c9bf235b5d76ad09802572970063c5d8?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  14. www.potpaz.org/
  15. www.purifier.com.np
  16. www.sodis.ch
  17. www.who.int/water_sanitation_heal th/dwq/wsh0207/en/.
  18. www.pureitwater.com/about/how_it_works.asp
  19. સ્કોટ્ટ ઈ. મિક્રોબિઅલ રિસ્ક રેડ્યુક્શન: ધી બેનિફિટ્સ ઓફ ઈફેક્ટિવ ક્લિનીંગ. 2010 ઈન પ્રિપરેશન.કોલે ઈ. અલ્લેર્જેન કંટ્રોલ થ્રુ રુટિન ક્લિનીંગ ઓફ પોપ્યુલન્ટ રિઝવાર્સ ઈન ધી હોમ એનવાયોર્નમેન્ટ. પ્રોસિડિંગ ઓફ હેલ્થી બીલ્ડીંગ 2000;4:435-6.
  20. કોલે ઈ. અલ્લાર્જેન કંટ્રોલ થ્રુ રુટિન ક્લિનીંગ ઓફ પોપ્યુલન્ટ રિઝર્વાર્સ ઈન ધી હોમ એન્વાયોર્મેન્ટ. પ્રોસિડીંગ્સ ઓફ હેલ્થી બિલ્ડીંગ 2000;4:435-6.
  21. ૨૧.૦ ૨૧.૧ બ્લોફિલ્ડ એસએફ, કોક્સોન બી, ફાલ્કિનેર એફ, ગ્રિફ્ફીથ સી, ક્લેરી વી. મેથિક્લિન રેસિટન્ટ સ્ટાફીલોલોક્સ એરુઆસ (એમઆરએસએ), ક્લોસ્ટિરીડિમ ડિફિસિલ એન્ડ ઈએસબીએલ-પ્રોડ્યુસિંગ એસેરિકિઆ કોઈલ ઈન ધી હોમ એન્ડ કોમ્યુનિટી: એસેસિંગ ધી પ્રોબ્લેમ, કંટ્રોલિંગ ધી સ્પ્રેડ. (2006). ઈન્ટરનેશનલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઇજિન. પર ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/eb85eb9d8ecd365280257545005e8966/c63d07b19fa214d3802574dd003efc1a?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  22. હોમ હાઈજિન - પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શન એટ હોમ: અ ટ્રેનિંગ રિસોર્સ ફોર કેરેર્સ એન્ડ ધેર ટ્રેઈનર્સ. (2003) ઈન્ટરનેશનલ સાન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. પર ઉપલબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/571fd4bd2ff8f2118025750700031676/9aaaeb306bb3c50c80257522004b4fdc?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  23. ડબલ્યુએચઓ 2008. ધી ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ: ૨૦૦૪ અપડેટ. પર ઉપબલ્ધ: http://www.who.int/healthinfo/global_burden_disease/2004_report_update/en/index.html.
  24. કર્ટિસ વી, કૈરનક્રોસ એસ. ઈફેક્ટ ઓફ વોશિંગ હેન્ડ વીથ સોપ ઓન ડિઆર્રહોઆ રિસ્ક ઈન ધી કમ્યુનિટી: અ સિસ્ટેમેટિક રિવ્યુ. લેન્સેટ ઈન્ફેક્શન ડિસીઝ 2003;3:275-81.
  25. એલિઓ એઈ, કોઉલબોર્ન આરએમ, પેરેઝ વી, લાર્સોન એલ. ઈફેક્ટ ઓફ હેન્ડ હાઈજિન ઓન ઈન્ફેક્શન ડિસીઝ રિસ્ક ઈન ધી કોમ્યુનિટી સેટિંગ: અ મેટા-એનાલિસ્ટ. અમેરિકન જર્નલ ઓફ પબ્લીક હેલ્થ 2008;98:1372-81.
  26. ફેવ્ટરેલ એલ, કૌફ્ફામેન આરબી, કેય ડી, ઈનોરિઆ ડબલ્યુ, હાલ્લેર એલ, ક્લોફોર્ડ જેમ. વોટર, સેનિટેશન, એન્ડ હાઈજિન ઈન્ટરવેન્શન ટુ રિડ્યુસ ડિઆર્રહોઆ ઈન લેસ ડિવલેપ્ડ કન્ટ્રી: અ સિસ્ટેમિક રિવ્યુ એન્ડ મેટા-એનાલિસી, લેન્સેટ ઈન્ફેક્શ્યસ ડિસીઝ 2005; 5: 42-52.
  27. હેલ્થ ઈમ્પેક્ટ ઓફ હેન્ડ વોશિંગ. વેલ (WELL) ફેક્ટ શીટ 2006. પર ઉપલબ્ધ: http://www.lboro.ac.uk/well/resources/fact-sheets/fact-sheets-htm/Handwashing.htm સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન.
  28. જેફર્સન ટી, ફોક્ષેલી આર, ડેલ માર સી, એટ એલ. ફિઝીકલ ઈન્ટરવેશન ટુ ઈન્ટર્રપ્ટ ઓર રિડ્યુસ ધી સ્પ્રેડ ઓફ રેસ્પેરેટ્રી વાઈરસીસ: સિસ્ટમેટિક રિવ્યુ. બ્રિટિશ મેડિકલ જર્નલ 2007;336:77-80. ડીઓઆઈ :10.1136/બ્રિટિશ મેડિકલ જર્નલ .39393.510347.બીઈ.
  29. લુબી એસ, એગબોતાલ્લા એમ, ફિકિન ડીએર, પેઈન્ટર જે, બિલ્લહિમ્મેર ડબલ્યુ, અટરેફ એ, હોએકેલસ્ત્રા આરએમ. ઈફેક્ટ ઓફ હેન્ડવોશિંગ ઓન ચાઈલ્ડ હેલ્થ : અ રેન્ડોમિસ્ડ કંટ્રોલ ટ્રાયલ. લેન્સેટ 2005 366 225-33.
  30. લુબી એસ, અગબોઆત્વાલ્લા એમ, સ્કેનેલ બીએમ, હોએસ્કાસ્ત્રા આરએમ, રાહબર એમએચ, કેસ્વીક બીએચ. ઘી ઈફેક્ટ ઓફ એન્ટીબેક્ટેરિઅલ સોપ ઓન ઈમ્પેટિગો ઈન્સિડેન્સ, કરાચી, પાકિસ્તાન. અમેરિકતન જર્નલ ઓફ ટ્રોપિકલ મેડિસીન એન્ડ હાઈજિન 2002; 67:430-5.
  31. ૩૧.૦ ૩૧.૧ યુસ ઓફ એસ એન્ડ મડ ફોર હેન્ડવોશિંગ ઈન લો ઈન્કમ કમ્યુનિટીસ. એસ. એફ. બ્લુમફિલ્ડ; કે. જે. નાથ http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/eb85eb9d8ecd365280257545005e8966/9ae568b43e25c9258025764f004bae1c?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  32. ૩૨.૦ ૩૨.૧ ગાઈડેન્સ ફોર ધી પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શન એન્ડ ક્રોસ -ઈન્ફેક્સ ઈન ધી ડિમોસ્ટેક એન્વાયોર્નમેન્ટ: ફોકસ ઓન હોમ હાઈજિન ઈસ્યુ ઈન ડેવલપિંગ કન્ટ્રીસ (2002). ઈન્ટરનેશલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. પર ઉપબબ્ધ: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/70f1953cec47d5458025750700035d86/24eb06345354d067802574e1005a075d?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  33. સ્ટ્રેચેન ડીપી. ફેમિલી સાઈઝ, ઈન્ફેક્શન એન્ડ અટોપેય: ધી ફર્સ્ટ ડિકેડ ઓફ ધી "હાઈજિન હાઈપોથિસીસ". થોરાક્સ 55 સપ્લી 1:S2-10.: S2-10, 2000.
  34. સ્ટેનવેલ્લ સ્મીથ આર, બ્લુમફિલ્ડ એસએફ. ધી હાઈજિન હાઈપોથીસિસ એન્ડ ઈમ્પેક્સન ફોર હોમ હાઈજિન. ઈન્ટરનેશલ સાયન્ટિફીક ફોરમ ઓન હોમ હાઈજિન. તારીખ - જૂઓ ઉપલબ્ધ છે: http://www.ifh-homehygiene.org/IntegratedCRD.nsf/111e68ea0824afe1802575070003f039/ce9bc2e0228ad9d480257522005b4748?OpenDocument સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
  35. બ્લુમફિલ્ડ એસએફ, સ્ટેનવેલ -સ્મીથ આર. ક્રેવેલ આરડબલ્યુઆર , પીકઅપ જે. ટુ ક્લીન, ઓર નોટ ટુ ક્લીન: ધી હાઈજિન હાઈપોથિસીસ એન્ડ હોમ હાઈજિન. ક્લિનિકલ એન્ડ એક્સપિરિમેન્ટલ એલર્જી 2006; 36:402-25.
  36. બર્નેર એસએ, કારેય આઈએમ, ડેવિલ્ડ એસ, રિચાર્ડ એન, માઈએર ડબલ્યુસી, હિલ્ટોન એસઆર, સ્ટ્રેકહાન ડીપી, કુક ડીજી. ઈન્ફેક્શન્સ પ્રેઝેન્ટીંગ ફોર ક્લિનીકલ કેર ઈન અર્લી લાઈફ એન્ડ લેટર રિસ્ક ઓફ હેય ફિવર ઈન ટુ યુકે બર્થ કોહોર્ટ્સ.એલર્જી 2008;63(3):274–83.
  37. રુક જીએડબલ્યુ, 99મી ડેલ્હામ કોન્ફરેન્સ ઓન ઈન્ફેક્શન,ઈન્ફ્લામેશન ડિસઓર્ડર :ડેરવિનિઅન મેડિસિન એન્ડ ધી હાઈડ ‘હાઈજિન’ અથવા ‘ઓલ્ડ ફ્રેન્ડસ’ હાઈપોથિસીસ. ક્લિનીકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ઈમ્મયુનોલોજી, 160: 70–79.
  38. એરવેક્સ, મેડિસિનિઅન્ટ.કોમ
  39. સુલભ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઈલેટ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન.
  40. રોમન બાથ હાઉસીસ
  41. પોપ કલ્ચર: હાઉ અમેરિકા ઈસ શેપ્ડ બાય ઈટ્સ ગ્રોસેસ્ટ નેશનલ પ્રોડક્ટ , આઈએસબીએન 1-932-59521-X.
  42. "ધી બેડ ઓલ્ડ ડેયસ — વેડિંગ્સ એન્ડ હાઈજિન". મૂળ માંથી 2017-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  43. અબ્યુશન્સ ઓર બાથિંગ,હોસ્ટોરિકલ પર્સપેક્ટિવ્સ + (લેટિન : અબ્લયુરે , ટુ વોશ અવેય)
  44. "ઘી ગ્રેટ ફેમિને(1315-1317) એન્ડ ધી બ્લેક ડેથ (1346-1351)". મૂળ માંથી 2008-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  45. મિડલ એજિસ હાઈજિન
  46. Paige, John C (1987). Out of the Vapors: A Social and Architectural History of Bathhouse Row, Hot Springs National Park (PDF). U.S. Department of the Interior. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  47. ટેઈલ્સ ઓફ ધી મિડલ એજ્સ - ડેઈલી લાઈફ.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો