હઠ યોગ

શારીરિક વ્યાયામ આધારિત યોગિક પદ્ધતિ


હઠ યોગ (Sanskrit हठयोग hʌʈʰʌjo:gʌ), ને હઠ વિદ્યા(हठविद्या) તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકામાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. આમ આ આધ્યાત્મીક ઊંચાઈઓ પામવા શરીર શુદ્ધી કરવાનું આ એક સાધન છે. રાજ યોગના આસનો અને પ્રાણાયમ એ યોગીઓ દ્વારા લાંબા સમયની સાધના માટે વાપરતાં. આ માટે તેઓ શરીરને તૈયાર કરતાં જેને ષટ કર્મ કહેવાય છે. હઠ શબ્દ હ અને ઠ આ બે શબ્દના યોગથી બન્યો છે જેનો અર્થ સૂર્ય અને ચંદ્ર એવો થાય છે. ( हकारः कीर्तितः सूर्यष्ठकारश्चंद्र उच्यते | सूर्यचंद्रमसोर्योगाद्धठयोग निगद्यते || )આનો સંદર્ભ પ્રાણ અને અપ્રાણ અને તે નામે બે મુખ્ય નાડી સાથે પણ છે. ધ્યાન પ્રાપ્તિ અને સમાધિ માટે આ બન્ને નાડી ઓ નું સક્રીય હોવું જરૂરી છે. મ્નીયેરની સંસ્કૃતના અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે હઠ નો અર્થ જીદ્દ એવો થાય છે. આમ આ એક બળ પૂર્વક કરેલી કરેલી શુદ્ધી છે. અન્ય વાતો સંદર્ભે હઠ યોગ પતંજલીના રાજ યોગ જેવો જ છે જેમાં યમ- નૈતિક બાધ અને નિયમ- આધ્યાત્મીક ક્રિયા બનેં નો સમાવેષ છે. પશ્ચિમમાં મોટે ભાગે લોકો હઠ યોગ ને યોગ સમજી તેને માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે વાપરે છે.


ઉત્પત્તિ ફેરફાર કરો

યમ અને નિયમ ફેરફાર કરો

આસન ફેરફાર કરો

પ્રાણાયામ ફેરફાર કરો

શુદ્ધિક્રિયા ફેરફાર કરો

શરીરના આંતરિક અંગોની શુદ્ધિ તથા સફાઈ માટે શુદ્ધિકરણની આ ક્રિયાઓ કરવામાં આવે છે. મળનો શરીરમાંથી પૂરતા પ્રમાણમાં નિકાલ ન થાય ત્યારે તેનો સંગ્રહ વધે છે, જેના ફળ સ્વરૃપ નાડીઓમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને વાત, પિત્ત તથા કફ આ ત્રણેય દોષોનું સંતુલન બગડી જાય છે. નાડી શુદ્ધિ કે મળશુદ્ધિ કરીને ત્રિદોષોને સંતુલિત અવસ્થામાં રાખીને શારીરિક અને માનસિક સ્તર પર અશુદ્ધિ દૂર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય આ શુદ્ધિક્રિયાઓ કરે છે.

ફાયદાઓ ફેરફાર કરો

વિદેશમા ફેરફાર કરો