આદર્શ પ્રકાશન

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

આદર્શ પ્રકાશન એ પ્રકાશક કંપની અને વિક્રેતા છે જેની સ્થાપના ઇ.સ. ૧૯૪૩માં નવનીત મદ્રાસીએ કરી હતી. હાલમાં આદર્શ પ્રકાશનનું કાર્યાલય અને દુકાન અમદાવાદનાં ગાંધી માર્ગ પર બાલા હનુમાન પાસે સારસ્વતસદન નામના મકાનમાં આવેલું છે.

આદર્શ પ્રકાશન છેલ્લા ૭૩ વર્ષથી સાહિત્યના પ્રકાશનો કરી રહ્યું છે. તેના લેખકોમાં શ્રી કે. કા. શાસ્ત્રી, સુન્દરમ્, નગીનદાસ પારેખ, મોહનલાલ પટેલ, સરોજ પાઠક, રમણલાલ પાઠક, ચંદ્રકાન્ત શેઠ, રાવજી પટેલ, જયન્ત પાઠક જેવા અનેક છે.[સંદર્ભ આપો]