આશાપુરા માતા

હિંદુ દેવી

આશાપુરા માતા કચ્છના પ્રમુખ દેવી-દેવતાઓમાંના એક છે. તેમનું નામ સૂચવે છે તેમ આ દેવી છે જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની ઇચ્છાઓ અને ઇચ્છાઓ પૂરી કરે છે એવી માન્યતા છે. આશાપુરા માતાની મોટાભાગની મૂર્તિ વિશેની વિશિષ્ટ વસ્તુ એ છે કે તેમાં આંખની ૭ જોડીઓ હોય છે.

તેમના મંદિરો મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાન માં જોવા મળે છે. આશાપુરા માતાજી પૌરાણિક દેવી શાકંભરી નું સ્વરૂપ મનાય છે.

કુળદેવી ફેરફાર કરો

ઘણાં કચ્છી સમુદાયો તેમને કુળદેવી અથવા ઇષ્ટદેવી (કુળદેવી થી અલગ આરાધ્ય દેવી) માને છે જેમકે ચૌહાણ, જાડેજા રાજપૂતો, કચ્છ રજવાડું, નવાનગર રજવાડું , રાજકોટ , મોરબી , ગોંડલ રાજ્ય અને ધ્રોલ ના રાજવંશો તેમને ઇષ્ટદેવી માને છે. દેવીનું મુખ્ય મંદિર કચ્છમાં આવેલ માતાનો મઢમાં ખાતે આવેલું છે. જ્યાં કચ્છના જાડેજા શાસકોની ઇષ્ટદેવી અને પ્રદેશની મુખ્ય ક્ષેત્રપાલિકા દેવી તરીકે તેની પૂજા થાય છે.[૧] કચ્છના ગોસર અને પોલાડીયા સમુદાયો તેમને કુળદેવી માને છે.

સિંધી સમુદાયના ખીચડા કુળના લોકો આશાપુરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે. ગુજરાત જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. જુનાગઢમાં ઉપરકોટની બાજુમાં તેમનું મંદિર છે.

ગુજરાતમાં પણ ઘણા ચૌહાણ, તરાળ (ઠાકોર), પુરબિય જેવા બારીયા રાજપૂતો પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. દેવડા રાજપુતો પણ તેમને કુળદેવી તરીકે તેની પૂજા કરે છે. બિલોર જેવા બ્રાહ્મણ જ્ઞાતિઓ, ગૌર [લાટ], ઠાંકી, પંડિત અને દવે પુષ્કર્ણા, સોમપુરા સલાટ પણ તેમને તરીકે પૂજે છે. વૈષ્ય સમુદાયમાં, જેમ કે વિજયવર્ગીય જ્ઞાતિ તેમની પૂજા કરે છે. બ્રહ્મ ક્ષત્રિ જાતિ પણ તેમની કુળદેવી તરીકે ઉપાસના કરે છે.

રાજકોટ, ધ્રાફા, સુરતના રઘુવંશી લોહણાઓનો સોઢા તરીકે ઓળખાતો સમુદાય પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે.

મંદિરો ફેરફાર કરો

 
અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાં આશાપુરા માતાજી

આશાપુરા માતાનું મુખ્ય અને મૂળ મંદિર, કચ્છના માતાનો મઢમાં આવેલું છે, જ્યાં કચ્છના જાડેજા શાસકો તેમની કુલદેવી અને પ્રદેશના મુખ્ય વાલી દેવતા તરીકે પૂજે છે.[૧][૨] આ મંદિર ભુજથી ૮૦ કિમી દૂર આવેલું છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૩૦૦ની આસપાસ તે સમયના કચ્છના રાજવી લાખો ફુલાણીના દરબારના કરાડ વાણિયા મંત્રીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તે દેવીના આશીર્વાદ મેળવી યુદ્ધ જીત્યા બાદ જાડેજા શાસકો દ્વારા કુલદેવી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.[૨] દર વર્ષે માતાના મઢમાં નવરાત્રીમાં મેળો ભરાય છે જેમાં સમગ્ર ગુજરાત અને મુંબઈથી લાખો ભક્તો તેમના આશીર્વાદ લેવા ઉમટે છે.[૩] તેમનું અન્ય અન્ય એક મંદિર ભુજ ખાતે કોટની અંદર આવેલું છે.

અન્ય જાડેજા બહુમતી ધરાવતા ક્ષેત્રો જેમકે રાજકોટ, જસદણ,[૪] મોરબી, ગોંડલ, જામનગર,[૫] ઘુમલી,[૫]માં પણ તેમના મંદિરો જોવા મળે છે. કચ્છમાંથી સ્થળાંતર કરી જ્યાં જાડેજાઓએ વસવાટ કર્યો ત્યાં તેમના મંદિરો બાંધ્યા.[૨][૬][૭]

એક કથા એવી છે કે અમુક એક સતીની વિનંતી કરવાથી મ શક્તિએ બરડા ટેકરીઓ ઉપર ઘુમલીમાં એક દૈત્યનો નાશ કર્યો. તે સતીએ મા શક્તિને ત્યાંજ રહેવા વિનંતી કરી અને તે સ્થળે મંદિત બનત અ તેમને આશાપુરા મા એવું નામ અપ્યું. આ મંદિરને માતાજીનું પ્રથમ મંદિર મનાય છે.

અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાં પણ તેમનું મંદિર છે. નવરાત્રીના પ્રથમ દિવસે, અહીં ઘણા લોકો માતાજીના યજ્ઞમાં ભાગ લેવા આવે છે.

રાજસ્થાનમાં પોખરણ, મોદ્રણ અને નાડોલમાં તેમના મંદિરો છે મુંબઈમાં પણ આશાપુરા માતાનું પ્રખ્યાત મંદિર છે.

બેંગ્લોરમાં બાનેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેમના નામે "શ્રી આશુપુરા માતાજી મંદિર" મંદિર છે.

પુણેમાં કોંઢવા નજીક પણા તેમનું મંદિર છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Dilipsinh, K. S. (2004). Kutch in Festival and Custom (અંગ્રેજીમાં). Har-Anand Publications. ISBN 9788124109984.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Mata No Madh - Ma Ashapura - Bhuj Tourism Guide - Gujarat Tourism, Complete Gujarat Travel Guide, Gujarat Tourist Places List". www.desigujju.com. મેળવેલ 2019-01-19.
  3. People turn up in lakhs at Mata no Madh in Kutch સંગ્રહિત ૧૬ મે ૨૦૦૮ ના રોજ વેબેક મશિન
  4. "Home". www.maaashapura.com. મૂળ માંથી 2020-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-01-19.
  5. ૫.૦ ૫.૧ "Ancient Temple Trail". www.jamnagar.org. મેળવેલ 2019-01-19.
  6. ભુજ
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-01-19.