કર્નાલા પક્ષી અભયારણ્ય
કર્નાલા પક્ષી અભયારણ્ય મુંબઈની બહાર, રાયગડ જિલ્લાના પનવેલ તાલુકામાં આવેલું છે અને માથેરાન અને કરજતની નજીક છે. આ અભયારણ્ય ૧૨.૧૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું નાનું અભયારણ્ય છે. તુંગારેશ્વર અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય આ એક મુંબઈમાં આવેલું અભયારણ્ય છે.
કર્નાલા પક્ષી અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
કર્નાલા કિલ્લો, જેની આજુબાજુ અભયારણ્ય આવેલું છે | |
સ્થળ | પનવેલ તાલુકો, રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત |
નજીકનું શહેર | માથેરાન અને કરજત |
અક્ષાંશ-રેખાંશ | 18°54′31″N 73°6′9″E / 18.90861°N 73.10250°ECoordinates: 18°54′31″N 73°6′9″E / 18.90861°N 73.10250°E |
વિસ્તાર | 446 square kilometres (172 sq mi) |
નિયામક સંસ્થા | મહારાષ્ટ્ર રાજ્ય વન વિભાગ |
સ્થાન ફેરફાર કરો
આ અભયારણ્ય કર્નાલાના કિલ્લાની બાજુમાં અને મુંબઈ-પૂણે થી ગોઆ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગની નજીક આવેલું છે. નજીકનું રેલ્વે મથક પનવેલ છે, પનવેલથી ૧૨ કિ.મી દુર છે. પનવેલથી સવારે ૫ થી સાંજે ૮ ના સમય સુધી દર અડધો ક્લાકના અંતરે બસ સેવા ઉપલબ્ધ છે. આ અભયારણ્ય સવારથી સાંજ પ્રવાસીઓ માટે ખુલ્લુ હોય છે. અહીં નજીકમાં પ્રવાસીઓ માટે ઘણી હોટેલ છે. બે સરકારી આરામગૃહો અભયારણ્ય વિસ્તારની અંદર આવેલા છે.
માહિતી ફેરફાર કરો
આ પક્ષી અભયારણ્ય, મુંબઈના પક્ષી પ્રેમીઓમાં લોકપ્રિય છે. અહીં ૧૫૦ જાતિઓના પક્ષીઓ નિવાસ કરે છે અને ૩૭ જાતિના પક્ષીઓ સ્થળાંતર કરીને શિયાળામાં અભયારણ્યની મુલાકાત લે છે. ત્રણ દુર્લભ પક્ષીઓ, રાખોડી રાજાલાલ, ત્રણ-અંગુઢાવાળો કલકલીયો અને મલબાર ટ્રોગન અહીં જોવા મળ્યાં છે.
ચિત્રો ફેરફાર કરો
-
અભયારણ્ય
-
પક્ષી નિરિક્ષણ ટાવર
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- www.thanewildlife.org સંગ્રહિત ૨૦૧૪-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન - મહારાષ્ટ્ર સરકારની વેબસાઇટ