કુમારપાળ (શાસન કાળ: ઇસ ૧૧૪૩- ઇસ ૧૧૭૨), ત્રિભુવનપાળ સોલંકીના પુત્ર અને અણહિલવાડ પાટણ, ગુજરાતના સોલંકી વંશના પ્રખ્યાત રાજા હતા.[૩][૪]

કુમારપાળ
ડાબે લક્ષ્મીજી અને જમણી બાજુ "શ્રીમંત-કુપારપાળદેવ" લખાણ ધરાવતો સિક્કો.[૧][૨]
શાસનઇ.સ. ૧૧૪૩-૧૧૭૨
પુરોગામીસિદ્ધરાજ જયસિંહ
અનુગામીઅજયપાળ
જન્મદધિષ્ઠલી (હવે દેથળી, સિદ્ધપુર નજીક)
મૃત્યુઇ.સ. ૧૧૭૨
પાટણ, ગુજરાત
જીવનસાથીઓભોપાલદેવી
વંશસોલંકી
પિતાત્રિભુવનપાળ
ધર્મહિંદુ ધર્મ (આજીવન), જૈન ધર્મ (જીવનના અંતિમ વર્ષોમાં)

તેમનો જન્મ દધિસ્થલીમાં (હવે દેથલી, સિદ્ધપુર) વિક્રમ સંવત ૧૧૪૯માં થયો હતો. તેમનાં શાસન દરમિયાન ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો અને જૈન ધર્મ મહત્વનો બન્યો હતો.[૪] તેઓ જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા.[૫]

કુમારપાળે પોતાના શિલાલેખોમાં મુખ્યત્વે ભગવાન શિવનું આહવાન કરેલ છે અને તેના શિલાલેખોમાં કોઈ જૈન તીર્થંકર અથવા જૈન દેવતાનો ઉલ્લેખ નથી. મુખ્ય વેરાવળ શિલાલેખ તેમને મહેશ્વર-નૃપ-અગ્રણી (શિવજીના આગેવાન તરીકેનો રાજા) કહે છે, જૈન ગ્રંથો પણ જણાવે છે કે તેઓ (સોમેશ્વર, શિવ)ની પૂજા કરતા હતા. એક શિલાલેખ મુજબ તેમણે ઘણા હિંદુ મંદિરો, સ્નાનઘાટ અને યાત્રાળુઓની સુવિધાઓ સાથે અદભૂત સોમનાથ-પાટણ તીર્થ સ્થળનું પુનઃનિર્માણ કર્યું, આ રીતે ગઝનીના મહેમુદ દ્વારા આક્રમણ અને વિનાશ બાદ તેમના પૂર્વજ ભીમદેવ પહેલા દ્વારા ફરીથી બાંધવામાં આવેલ સોમનાથ મંદિરનું કુમારપાળે વિસ્તરણ કર્યું. શિલાલેખો સૂચવે છે કે તેઓ હિંદુ હતા અને વૈદિક વિધિઓમાં ભાગ લીધો હતા, છેલ્લા જાણીતા શિલાલેખો સુધી તેઓ હિન્દુ હતા. જ્યારે તેમના સમકાલીન કેટલાક પુસ્તકોમાં લેખક દ્વારા તેમના જૈન હોવાનો ઉલ્લેખ કરે છે.[૬][૭][૮]

"કલિ કાલ સર્વજ્ઞ" હેમચંદ્રાચાર્યના પ્રભાવ હેઠળ કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાયાથી બનેલા રાજ્યની સ્થાપના કરી. કુમારપાળે પોતાના શાસન દરમિયાન અનેક યુદ્ધોમાં સફળતાપૂર્વક ભાગ લીધો. ગુરૂની સલાહથી તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો.[૯] તેમણે ઘણાં જૈન મંદિરો પણ બંધાવ્યા. જેમાં તારંગા અને ગિરનારના મંદિરોનો સમાવેશ થાય છે. તેમણે પાલી, રાજસ્થાનમાં સોમનાથનું મંદિર પણ બંધાવેલું. ખંભાતનો ચતુર અને સાહસિહ વેપારી ઉદયન મહેતા તેમનો મંત્રી હતો જેણે કુમારપાળના કાકા સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી તેમને ગાદી પર લાવવામાં ફાળો આપેલો. સિદ્ધરાજ જયસિંહને કુમારપાળ ગમતા નહોતા તેથી તેમણે કુમારપાળ ગાદી પર ન આવે તે માટેના પ્રયત્નો કરેલા, જેમાં કુમારપાળની હત્યાના પ્રયત્નોનો પણ સમાવેશ થતો હતો. કુમારપાળને ગુર્જરેશ્વર પણ કહેવામાં આવતા હતા.[૧૦] કુમારપાળનો શાસનકાળ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે જે દરમિયાન વેપાર, સંસ્કૃતિ, સાહિત્ય અને અન્ય કળાઓ ખીલી ઉઠી હતી. તેમનું મૃત્યુ તેમના ગુરૂ હેમચંદ્રાચાર્યના મૃત્યુના ૬ મહિના પછી સંવત ૧૨૩૦માં ૮૦ વર્ષની ઉંમરે થયું.

કુમારપાળના લગ્ન ભોપાલદેવી સાથે થયેલા.

નિર્માણ ફેરફાર કરો

વડનગર શિલાલેખ (ઇ.સ.૧૧૫૨)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુમારપાળે વડનગરનો કિલ્લો બાંધ્યો હતો. "જગડુચરિતા"માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે ભાદ્રવતી (ભદ્રેસર) ખાતે એક ટાંકી બાંધવાનો આદેશ આપ્યો હતો.[૧૧] પાટણ જિલ્લાના વાયડ ગામે આવેલી વાવ આ સમયગાળાની છે. વઢવાણ ખાતે આવેલી ગંગા વાવ પર ઇ.સ. ૧૧૬૯ (વિ.સં ૧૨૨૫)ની સાલ અંકિત કરેલી છે.[૧૨]

મંદિર ફેરફાર કરો

 
કુમારપાળ દ્વારા નિર્મિત તારંગા (જૈન મંદિર)
 
શત્રુંજય પર્વત પર આવેલું આદિનાથ મંદિર

કુમારપાળે અનેક બ્રાહ્મણ અને જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું.[૧૧] જૈન ગ્રંથો મુજબ, તેમની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)માં મોટી સંખ્યામાં મંદિરો બાંધવા માટે તેઓ જવાબદાર હતા.[૩]

તેમણે ઈ.સ. ૧૧૬૯માં સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે તેમના સમયની સૌથી ભવ્ય અને સુંદર હતી. તેના ગુઢમંડપની છત લગભગ 3412 ફૂટ છે, જે સમગ્ર ભારતમાં સૌથી વિશાળ છે.[૧૧] તેમણે કુમારપાલેશ્વર મંદિરનું નિર્માણ કર્યું અને અણહિલવાડ પાટણમાં કેદારેશ્વર મંદિરોનું નવીનીકરણ કર્યું. તેણે પ્રભાસ પાટણના બીજા તબક્કાના સોમનાથ મંદિરના સ્થાને વિશાળ કૈલાશ-મેરુ મંદિરનું સ્થાન લીધું હતું.[૧૧] તેમણે રાજસ્થાનના પાલીમાં પણ સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું.[૧૦]

જૈન 'પ્રબંધો'ના જણાવ્યા અનુસાર, તેમણે પ્રારંભિક જીવનમાં તેમના બિન-શાકાહારીવાદના પશ્ચાતાપ તરીકે ૩૨ જૈન મંદિરોનું નિર્માણ કર્યું હતું. યશપાલની 'મોહપરાજય-નાટક' (વિ.સં. ૧૨૨૯-૩૨, ઈ.સ. ૧૧૭૩-૧૧૭૬) તેમજ પ્રભાચંદ્રાચાર્યની 'પ્રભાવકચરિતા' (વિ.સ. ૧૩૩૪, ઈ.સ. ૧૨૭૮) અને મેરુતુંગાના 'પ્રબંધ ચિંતામણી' (વિ.સ. ૧૩૬૧, ઈ.સ. ૧૩૦૫)માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભલે તે સાચુ સ્પષ્ટીકરણ ન હોય, પરંતુ તેમણે પોતે મોટી સંખ્યામાં મંદિરોનું નિર્માણ કર્યું હતું અથવા તેમના રાજ્યપાલો, વહીવટકર્તાઓ અને અધિકારીઓએ તેનું નિર્માણ કર્યું હતું.[૧૩]

તેમણે પ્રભાસ પાટણમાં પાર્શ્વનાથને સમર્પિત ૨૪ દેવકુલિકા (મંદિર) ધરાવતા કુમારવિહારનું નિર્માણ કર્યું હતું. કુપારપાળે તેમના પિતા ત્રિભુવનપાળની સ્મૃતિમાં પ્રભાસ પાટણ ખાતે નેમિનાથને સમર્પિત ૭૨ દેવકુલિકા (મંદિર) ધરાવતા ત્રિવિહાર અને ત્રિભુવન-વિહાર (ઈ.સ.૧૧૬૦)નું નિર્માણ કર્યું હતું. કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલું તારંગાનું વિશાળ અજિતનાથ મંદિર હજુ પણ ટકી રહેલું છે, જ્યારે તેમના મોટાભાગના મંદિરો હવે અસ્તિત્વમાં નથી.[૧૩] તેમણે શેત્રુંજય, અર્બુદાગિરિ (માઉન્ટ આબુ), સ્તંભતીર્થ (ખંભાત), પ્રભાસ (પાર્શ્વનાથનું મંદિર) જેવા અનેક તીર્થસ્થળોએ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, આ ઉપરાંત થરાપાદરા (થરાદ), ઇલાદુર્ગા (ઇડર), જબલીપુત્ર (જાલોર, ઈ.સ.૧૧૬૫), દ્વિપ (દીવ), લાટપલ્લી (લાડોલ), કર્કરાપુરી (કાકર), મંડલી (માંડલ) અને મંગલપુરા (માંગરોળ)માં કુમારવિહારનું નિર્માણ કર્યું હતું. તેમણે મેમચંદ્રની જન્મભૂમિ ધંધુકામાં જોલિકા-વિહાર (ઈ.સ. ૧૧૬૩)નું નિર્માણ કર્યું હતું. કુમારપાલપ્રતિબોધમાં વિટાભાયપુરાથી જીવનસ્વામી મહાવીરની મૂર્તિના ખોદકામ અને પ્રભાસ પાટણ સ્થિત મંદિરમાં તેની સ્થાપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્મ-વિહાર, યુકા-વિહાર અને મુશકા-વિહારનો ઉલ્લેખ 'પ્રબંધસંકેતમણિ', 'પુરાણ-પ્રબંધ-સંગ્રહ' અને 'કુમારપાલ-ચરિત્ર-સંગ્રહ'માં એક વિચિત્ર કથા સાથે કરવામાં આવ્યો છે.[૧૩][૧૧]

પૂરક વાચન ફેરફાર કરો

  • Kumarapala Rasa, written 1425 CE[૧૪]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. P. C. Roy (૧૯૮૦). The Coinage of Northern India. Abhinav Publications. પૃષ્ઠ ૮૪–૮૬. ISBN 978-81-7017-122-5.
  2. CNG Coins
  3. ૩.૦ ૩.૧ Michael C. Howard (૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨). Transnationalism in Ancient and Medieval Societies: The Role of Cross-Border Trade and Travel. McFarland. પૃષ્ઠ ૧૮૯–. ISBN 978-0-7864-9033-2.
  4. ૪.૦ ૪.૧ Bhanwarlal Nathuram Luniya (૧૯૭૮). Life and culture in medieval India. Kamal Prakashan. પૃષ્ઠ ૩૮૫. મેળવેલ ૨૬ મે ૨૦૧૧.
  5. G. K. Ghosh; Shukla Ghosh (૧ જાન્યુઆરી ૨૦૦૦). Ikat textiles of India. APH Publishing. પૃષ્ઠ ૬–. ISBN 978-81-7648-167-0. મેળવેલ ૨૬ મે ૨૦૧૧.
  6. Ray, Nisith Ranjan (1958). "A Note on the Decline of Chaulukya Power Under Bhīmadeva Ii". Proceedings of the Indian History Congress. 21: 83–86. ISSN 2249-1937.
  7. "JSTOR". Wikipedia (અંગ્રેજીમાં). 2023-06-26.
  8. "Book sources - Wikipedia". en.m.wikipedia.org (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-27.
  9. Edalji Dosábhai (૧૮૯૪). A history of Gujarát: from the earliest period to the present time. United Print. and General Agency. પૃષ્ઠ ૩૫–. મેળવેલ ૨૬ મે ૨૦૧૧.
  10. ૧૦.૦ ૧૦.૧ Anjali Desai (૨૦૦૬). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૨૨૭–. ISBN 978-0-9789517-0-2. મેળવેલ ૨૬ મે ૨૦૧૧.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 55–62, 79–80.
  12. The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 21.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ઢાંકી, મધુસુદન (2002). "કુમારપાળ અને કુમારવિહારો". નિર્ગ્રંથ ઐતિહાસિક લેખ સમુચ્ચય. અમદાવાદ: શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ સ્મારકનિધિ. પૃષ્ઠ 151–168.
  14. Kastoor Chand Kasliwal (૧૯૬૭). Jaina grantha bhandārs in Rājasthān. Shri Digamber Jain Atishaya Kshetra Shri Mahavirji. પૃષ્ઠ ૯૫. મેળવેલ ૨૬ મે ૨૦૧૧.