ચાંદોદ (તા. ડભોઇ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચાંદોદ (તા. ડભોઇ), જે ચાણોદ તરીકે પણ ઓળખાય છે. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંદોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય કર્મકાંડ, નૌકાચાલન, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. આ ગામમાં માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચાંદોદ
—  ગામ  —
ચાંદોદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°07′46″N 73°25′03″E / 22.129471°N 73.417557°E / 22.129471; 73.417557
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો ડભોઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, તુવર, શાકભાજી

ચાંદોદ ખાતે ગાયકવાડી સમયની ડભોઇ નેરોગેજ લાઇનનું સ્ટેશન આવેલું છે.

ધાર્મિક મહત્વ ફેરફાર કરો

અહીં ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાને કારણે આ ગામ સંગમતીર્થ તરીકે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.[૧] અહીં નદીઓ પર અનેક જગ્યા પર પાકાં પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા તેમ જ સંગમસ્થળે પંહોચવા માટે હોડીઓ ઉપલબ્ધ હોય છે.

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Chandod, Temples, Pilgrimage centre, Vadodara, Tourism Hubs, Gujarat, India". Gujarattourism.com. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 4 February 2019.
  2. Parikh, Dhiru (૧૯૯૫). Dayaram Na Shreshtha Kavyo. Navbharat Sahitya Mandir Ahmedabad. પૃષ્ઠ ૩–૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો