જોરહટ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જોરહટ જિલ્લાનું મુખ્ય મથક જોરહટ શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૮૫૧ ચોરસ કિલોમીટર જેટલું છે તથા તેની કુલ વસ્તી ૧૦,૦૯,૧૯૭ (૨૦૦૧ વસ્તીગણતરી પ્રમાણે) જેટલી છે.

આ જિલ્લામાંથી પસાર થતી બ્રહ્મપુત્રા નદીમાં ભારતીય ઉપખંડનો નદી વચ્ચે હોય એવો સૌથી મોટો દ્વિપ આવેલો છે, જે માજુલી બેટ તરીકે ઓળખાય છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો