તરભ (તા. વિસનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

તરભ (તા. વિસનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિસનગર તાલુકામાં આવેલું એક ગામ છે. તરભ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં રબારી જ્ઞાતિના કુળદેવ વાલીનાથનું મંદિર આવેલું છે.

તરભ
—  ગામ  —
તરભનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°42′N 72°33′E / 23.7°N 72.55°E / 23.7; 72.55
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો વિસનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,

કપાસ, દિવેલી, શાકભાજી

નામ ફેરફાર કરો

તરભ નામકરણ તરભોવન (ત્રિભુવન) નામના 'મોયડાવ' શાખાના રબારી પરથી પડેલુ છે.

શ્રી વાળીનાથ મહાદેવ મંદિર, તરભ ફેરફાર કરો

શ્રી વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ૯૦૦ વર્ષ જુનો છે

શ્રી વાળીનાથ ધામ, ઉત્તર ગુજરાત (પુરાતન - આનર્ત પ્રદેશ ) માં રુપેણ અને પુષ્પાવતી નામ ની નદીઓના મધ્યે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પાસે આવેલ તરભ નામના ગામે ઉંઝા અને વિસનગર રોડ ઉપર આવેલ છે.

મુળ રાજસ્થાનથી માલઢોર અર્થે અકયણાં કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરભ ગામે નેહડો બાંધી વસેલ.

આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા.

આ તરભ ગામનું નામ આ શ્રી તરભોવનભા રબારી [ શાખે : મોયડાવ ] ના નામથી પડેલ છે.

શ્રી વાળીનાથ ભગવાનના પ્રાગટ્યની વાત :-

ભક્તરાજ શ્રી તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા.

મુળ રાજસ્થાનથી આવી વસેલ આ તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શાનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતાં હતા તથા તરભ ગામના ગોદરે જ ધુણો ધખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજ ને પોતાના ગુરુ માનતા હતા.

ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃધ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે,માતાજીને વિનંતિ કરી કે 'હે મા મે ઘણીવાર આપના દર્શન કર્યા છે. અને તે અર્થે અહીં સુધી આવ્યો પરંતુ હવે આપ મારી સાથે પધારો કારણ કે હુ આવી શકુ તેમ નથી!'

ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે 'તમારા ગુરૂદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને તે વાત તમાર ગુરૂદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરૂષ છે.'

ભક્તરાજ તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના દર્શન કરવા ગયા, તે પહેલાં પરમ પૂ. વિરમગિરિજી મહારાજશ્રીને સમાધી અવસ્થામાં ભગવાનશ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશનાં દર્શન થયાં.

મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને વાત કરી!

બાપુશ્રીએ એ પુરાતન ભૂમિમાંથી મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી.

ત્યાર બાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનુ કેન્દ્ર બન્યુ.

આજે પણ રબારી સમાજ તથા અન્ય છત્રીસે કોમ આ પવિત્ર સ્થાને આવી શ્રધ્ધાપૂર્વક-દર્શન માનતા વગેરે કરે છે. અને શ્રધ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે.

વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં બિરાજેલા ગુરુગાદી પતિ પૂ. વિરમગિરિ બાપુના નિમાર્ણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત-આચાર્ય પરંપરા શરૂ થઇ.

જેની શ્રી વિરમગીરીજી થી શરુ કરી આજ સુધીના મહંતોની યાદી નીચે મુજબ છે :- (૧) પ્રથમ મહંત : શ્રી વિરમગિરિજી, (૨) બીજા મહંત : શ્રી પ્રેમગિરિજી, (૩) ત્રીજા મહંત : શ્રી સંતોકગિરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી, (૪) ચોથા મહંત : શ્રી ગુલાબિગરિજી, કોઠારી સ્વામી શ્રી માનગીરીજી, (૫) પાંચમા મહંત : શ્રી નાથગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી, (૬) છઠ્ઠા મહંત : શ્રી જગમાલગિરિજી, કોઠારી સ્વામી શ્રી રેવાગીરીજી, (૭) સાતમા મહંત : શ્રી શંભુગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૮) આઠમા મહંત : શ્રી ભગવાનગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૯) નવમા મહંત : શ્રી મોતીગિરિજી, કોઠારી સ્વામી શ્રી અરજણગીરીજી, (૧૦) દસમા મહંત : શ્રી કેશવગિરીજી, કોઠારી સ્વામી શ્રી હેમગીરીજી, (૧૧) અગિયારમા મહંત : શ્રી હરિગિરિજી, કોઠારી સ્વામી શ્રી રણછોડગીરીજી, (૧૨) બારમા મહંત : શ્રી સૂરજિગરિજી, કોઠારી સ્વામી શ્રી મહાદેવગીરીજી, (૧૩) તેરમા મહંત : શ્રી બળદેવગિરીજી, કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી. (૧૪) ચૌદમા મહંત : શ્રી જયરામગીરી બાપુ! કોઠારી સ્વામી શ્રી દશરથગીરીજી. (નોંધ : હાલ જયરામગીરીજી આચાર્ય પરંપરા તથા દશરથગીરીજી કોઠારી પદ નિભાવી રહ્યા છે.)