દોલતાબાદ (તા. તલોદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દોલતાબાદ (તા. તલોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા તલોદ તાલુકામાં આવેલું એક ગામ છે. દોલતાબાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દોલતાબાદ
—  ગામ  —
દોલતાબાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°21′06″N 72°57′12″E / 23.351782°N 72.953439°E / 23.351782; 72.953439
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો તલોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

ગામમાં પાંચ આંગણવાડીઓ, સાત પ્રાથમિક શાળાઓ, એક માધ્યમિક શાળા અને PTC કોલેજ આવેલી છે.

દોલતાબાદ ગામ જુદા જુદા સાત ભાગમાં વહેચાયેલું છે. દોલતાબાદ સાબરકાંઠા જિલ્લાની સરહદનું છેલ્‍લું ગામ છે અને ત્‍યાંથી ગાંઘીનગર જિલ્લાની શરુઆત થાય છે. દોલતાબાદ ખારી નદીને કિનારે આવેલુ છે અને ત્‍યાં નદી કિનારે આશરે ૨૦૦ વર્ષ જુનુ મંદિર આવેલુ છે. ત્‍યાં પૌરાણિક ખંડિત કિલ્‍લો આવેલો છે. દોલતાબાદ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ થી આશરે ૮ થી ૧૦ કિ.મીના અંતરે આવેલું છે.