ઘાંટીલા (તા.માળિયા-મિયાણા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(ધાંટીલા (તા.માળિયા) થી અહીં વાળેલું)

ઘાંટીલા (તા. માળિયા-મિયાણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા માળિયા (મિયાણા) તાલુકામાં આવેલું એક ગામ છે. ઘાંટીલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમીક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, ડાકઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઘાંટીલા
—  ગામ  —
ઘાંટીલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°05′22″N 70°45′04″E / 23.089463°N 70.75122°E / 23.089463; 70.75122
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
તાલુકો માળિયા (મિયાણા)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, ડાકઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ભૂગોળ ફેરફાર કરો

ભૌગોલીક રીતે ઘાંટીલા ગામની પુર્વ દીશામાં ટીકર, દક્ષિણ દીશામાં ધુળકોટ, પશ્ચિમ દીશામાં વેજલપર તથા ઉત્તર દિશામાં મંદરકી વગેરે ગામો સ્થિત છે. ઘાંટીલા ગામ મોરબી શહેર થી ૪૯ કિમી, માળીયા થી ૩૬ કિમી તથા હળવદથી ૨૫ કિમી થાય છે. ઘાંટીલા ગામની ઉત્તરે મંદરકીથી આગળ જતા કચ્છનું નાનું રણ આવેલ છે.