ધીરેન્દ્ર મહેતા

ગુજરાતી લેખક

ધીરેન્દ્ર પ્રીતમલાલ મહેતા (જન્મ: ૨૯ ઓગસ્ટ ૧૯૪૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક છે.

ધીરેન્દ્ર મહેતા
ધીરેન્દ્ર મહેતા, તેમના નિવાસ સ્થાને, ભૂજ, નવેમ્બર ૨૦૧૭
ધીરેન્દ્ર મહેતા, તેમના નિવાસ સ્થાને, ભૂજ, નવેમ્બર ૨૦૧૭
જન્મ (1944-08-29) August 29, 1944 (ઉંમર 79)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાયનવલકથાકાર
કવિ
વિવેચક
સંપાદક
ભાષાગુજરાતી
નાગરિકતાભારતીય
શિક્ષણબી.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
નોંધપાત્ર સર્જનોછાવણી
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૦)
રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૧૧)
સહી

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. અને ૧૯૭૬માં ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ વિષય પર પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછીથી આર.આર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કાર્ય કર્યું.

સર્જન ફેરફાર કરો

આઠમા દાયકાના આ મનોવિશ્લેષ્ણવાદી નવલકથાકારે આધુનિક મનુષ્યનાં મનઃસંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. વલય (૧૯૭૧)માં નવપલ્લવિત પ્રણયનું તાઝગીભર્યું આલેખન છે. ચિહ્ન (૧૯૭૮) અને દિશાંતર (૧૯૮૩)માં વિકલાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનોલોકનું સંકુલ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવલકથા અદ્રશ્ય (૧૯૮૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારુણ્ય લાઘવપૂર્વક તાદ્દશ્ય થયું છે અને આપણે લોકો (૧૯૮૭) માનવજીવનની વિભીષિકાને તાકે-વાગે છે. કાવેરી અને દર્પણલોક (૧૯૮૮)માં બે લઘુનવલો સમાવિષ્ટ છે.

સંમુખ (૧૯૮૫) એમનો પ્રયોગધર્મી છવ્વીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત લઘુપ્રબંધ ડૉ. જયંત ખત્રી (૧૯૭૭), મહાનિબંધ નંદશંકરથી ઉમાશંકર (૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ભૂસકાની ઉજાણી (૧૯૮૬) વગેરે પણ એમણે આપ્યા છે. રણની આંખમાં દરિયો (૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો