ધોળાવીરા

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદિરબેટ વિસ્તારમાં આવેલું પ્રાચીન નગર

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.[૧] ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.[૨]

ધોળાવીરા
કોટડા
ધોળાવીરા
ધોળાવીરા is located in India
ધોળાવીરા
ભારતમાં સ્થાન
ધોળાવીરા is located in ગુજરાત
ધોળાવીરા
ધોળાવીરા (ગુજરાત)
સ્થાનખદિર બેટ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ23°53′18.98″N 70°12′49.09″E / 23.8886056°N 70.2136361°E / 23.8886056; 70.2136361
પ્રકારરહેઠાણ
લંબાઇ771 m (2,530 ft)
પહોળાઇ617 m (2,024 ft)
વિસ્તાર100 ha (250 acres)
ઇતિહાસ
સમયગાળોહડપ્પા ૨થી હડપ્પા ૫
સંસ્કૃતિઓસિંધુ ખીણ સંસ્કૃતિ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૯૦-હાલમાં
સ્થિતિખંડેર
માલિકીજાહેર
જાહેર પ્રવેશહા
અધિકૃત નામધોળાવીરા: હડપ્પન નગર
માપદંડસાંસ્કૃતિક: (ii)(iii)(iv)
ઉમેરેલ૨૦૨૧ (૪૪મું સત્ર)
સંદર્ભ ક્રમાંક.1645
ધોળાવીરામાં પાણીની ટાંકી

પ્રવેશ દ્વાર ફેરફાર કરો

 
ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર

એક પ્રવેશ દ્વારનું પાટીયું (સાઈનબોર્ડ) જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અન્ય ફેરફાર કરો

અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

ધર્મસ્થળ ફેરફાર કરો

આખા નગરમાં ધર્મસ્થળ જેવું કાંઈજ મળ્યું નથી. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

નગરની બાંધણી ફેરફાર કરો

 
ધોળાવીરાનો નકશો

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

  • રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ
  • અન્ય અધિકારીઓનાં આવાસ
  • સામાન્ય નગરજનોનાં આવાસ

શાસક અધિકારીનો રાજમહેલ ફેરફાર કરો

નગરમાં શાસક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

અન્ય અધિકારી ઓના આવાસ ફેરફાર કરો

અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.

સામાન્ય નગરજનો નો આવાસ ફેરફાર કરો

સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ધોળાવીરા જવા માટે ફેરફાર કરો

  • હવાઇ માર્ગે ભુજ હવાઇ મથક પર ઉતરી ધોળાવીરા સડક માર્ગે ભચાઉથી વાહન દ્વારા જઇ શકાય છે.
  • રેલ્વે માર્ગ દ્વારા અમદાવાદ-ભુજ રેલ્વે માર્ગ પર સામખીયાળી ઉતરી સડક માર્ગે વાહન દ્વારા પહોંચી શકાય છે.
  • સડક માર્ગે અમદાવાદ, પાલનપુર, રાપર અથવા ભચાઉ પહોંચી ધોળાવીરા જઇ શકાય છે.
  • પાણીની વ્યવસ્થા જાતે કરીને જવું. શાકાહારી જમવાનું મળે છે.
  • સડક માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Archeological Sites of Kutch-DHOLAVIRA". Rannotsv, Rann Utsav Kutch, Gujarat. મૂળ માંથી 2018-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.
  2. Kunal Gaurav. "Unesco World Heritage tag: List of all 40 Indian sites after Dholavira addition" (અંગ્રેજીમાં). New Delhi. Hindustan Times. મેળવેલ જુલાઇ ૨૭, ૨૦૨૧.

બાહ્ય કડીઓ ફેરફાર કરો