નાયરા નદી પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન અબડાસા તાલુકાના મોથારા ગામ પાસે છે. નદીની મહત્તમ લંબાઇ ૩૨ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૨૭૯ ચોરસ કિમી છે.[૧]

નાયરા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૨ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધબેરાચીયા જળાશય યોજના, બેરાચીયા

નાયરા નદી પર બેરાચીયા ગામ નજીક બેરાચીયા જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "નાયરા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "બેરાચીયા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.