પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.

પાલિતાણા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૧૯૪–૧૯૪૮
Coat of arms of પાલિતાણા
Coat of arms

સૌરાષ્ટ્રમાં પાલિતાણાનું સ્થાન
વિસ્તાર 
• ૧૯૨૧
777 km2 (300 sq mi)
વસ્તી 
• ૧૯૨૧
58000
ઇતિહાસ 
• સ્થાપના
૧૧૯૪
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
 આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Palitana". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 20 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
પાલિતાણાના મંદિરો, ઇ.સ. ૧૮૬૦

ઇતિહાસ ફેરફાર કરો

પાલિતાણાની સ્થાપના ૧૧૯૪માં રજવાડા તરીકે થઇ હતી અને તે સૌરાષ્ટ્રનું એક મુખ્ય રજવાડું હતું. પાલીતાણાનો વિસ્તાર ૭૭૭ ચો. કિમી હતો અને ૧૯૨૧ પ્રમાણે ૯૧ ગામોમાં વસ્તી ૫૮,૦૦૦ હતી, જેના વડે ૭,૪૪,૪૧૬ રૂપિયાનું મહેસૂલ ઉઘરાવાતું હતું. ૧૯૪૦માં તેની વસ્તી ૭૬, ૪૩૨ હતી.[૧]

પાલિતાણાના શાસકને ૯ તોપોની સલામી મળતી હતી.[૨]

શાસકો ફેરફાર કરો

પાલિતાણાના શાસકો હતા ગોહિલ રાજપૂતો હતા અને ઠાકુર સાહેબનો ઇકલાબ ધરાવતા હતા.[૩]

  • ૧૬૯૭ - ૧૭૩૪ પૃથ્વીરાજજી કાંધાજી
  • ૧૭૩૪ - .... નોંઘાનજી તૃત્રીય
  • .... - ૧૭૬૬ સરતાનજી દ્વિતિય
  • ૧૭૬૬ - ૧૭૭૦ આલુભાઇ
  • ૧૭૭૦ - ૧૮૨૦ ઉંડાજી
  • ૧૮૨૦ - ૧૮૪૦ કાંધાજી ચતુર્થ
  • ૧૮૪૦ - ૧૮૬૦ નોંઘાનજી ચતુર્થ
  • ૧૮૬૦ - પ્રતાપસિંહજી (અ. ૧૮૬૦)
  • ૧ જૂન, ૧૮૬૦ - નવેમ્બર ૧૮૮૫ સુરસિંહજી (જ. ૧૮૪૪ - અ. ૧૮૮૫)
  • ૨૪ નવે ૧૮૮૫ – ૨૯ ઑગસ્ટ ૧૯૦૫ માનસિંહજી સુરસિંહજી (જ. ૧૮૬૩ - અ. ૧૯૦૫) (૧ જાન્યુ ૧૮૯૬, સર માનસિંહજી સુરસિંહજી)
  • ૨૯ સપ્ટે ૧૯૦૫ – ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ બહાદુરસિંહજી માનસિંહજી (જ. ૧૯૦૦ - અ. ૧૯૬૪) (૧ જાન્યુ ૧૯૩૦ થી સર બહાદુરસિંહજી માનસિંહજી; મહારાજા ૧૯૪૪થી)

સંદર્ભ ફેરફાર કરો

પૂરક વાચન ફેરફાર કરો

  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Palitana" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 20 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 635.