પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ

પક્ષીવિશારદ

પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ (૫ ફેબ્રુઆરી ૧૯૦૫ – ૧૯૮૪) ગુજરાત રાજ્યના એક પ્રકૃતિપ્રેમી અને પક્ષી વિશારદ હતા.

પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ ગુજરાતના ભાવનગર શહેરમાં થયો હતો. તેમના પિતા કંચનરાય ગીરજાશંકર દેસાઈ અને કાકા મુકુંદરાય પણ પ્રકૃતિપ્રેમી અને પક્ષીપાલક હતા. આમ નાનપણથી જ તેઓને પક્ષીપ્રેમના સંસ્કાર મળેલા. તે ઉપરાંત ભાવનગર રાજ્યમાં તે સમયે ચિત્તાને તાલીમ આપનાર હશન ઉસ્તાદે પણ તેઓને પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે સારૂં એવું માર્ગદર્શન કરેલું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને ૧૫ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ પોતાના એ.ડી.સી. (Aide-de-camp – પરિસહાયક અધિકારી) તરીકે નિયુક્ત કરેલા, ત્યાર પછી ડૉ. વિરભદ્રસિંહજીએ પણ તેમને આ પદે સેવારત રાખ્યા અને આશરે ૩૫ વર્ષ સુધી સેવારત રહી ૧ જુલાઇ ૧૯૭૩ના રોજ તેઓએ નિવૃતિ લીધી અને પછી નિવૃત જીવન ગાળ્યું. ૧૯૮૪માં તેમનું અવસાન થયું હતું.[૧]

પિતા કંચનરાય સાથે મળીને તેમણે જંગબારી (African grey parrot)નું પ્રજનન અને ઉછેર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તેઓ ચંડૂલ (lark)ને પકડવાની તાલીમ આપવામાં પારંગત હતા.[૧] મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેઓને "પક્ષીરાજ"નું બિરુદ આપી તેમનું સન્માન કરેલું.[૨]

સર્જન ફેરફાર કરો

પ્રદ્યુમ્ન દેસાઈએ 'પ્રકૃતિ' સામયિકમાં પ્રાણીઓનો પરિચય કરાવતા લેખો પ્રસિદ્ધ કર્યા હતા.[૧] એમણે પક્ષીઓ અને પ્રકૃતિ વિષયે ગુજરાતી ભાષામાં જ્ઞાનપ્રદ પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તક "કુદરતની કેડીએ (ભાગ ૧-૨)"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. "શ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨)"ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયેલો. તેમનું પુસ્તક "પંખી જગત", કે જેમાં ગુજરાતમાં જોવા મળતા ૪૩૧ પક્ષીઓની ઝીણવટીભરી વિગતો અપાયેલી છે, પ્રકૃતિવિદ્ રૂબિન ડેવિડે "પંખી જગતનું બાઇબલ" કહીને મૂલવ્યું હતું.[૨] આ ઉપરાંત તેમણે કુમાર જેવા માસિકો અને અન્ય કેટલાયે દૈનિકપત્રોમાં પક્ષીજગતને લગતું જ્ઞાન આપતા લેખો લખ્યા છે.

ગુજરાત રાજ્યમાં મલબારી શામા નામના પક્ષીની નોંધ એમણે પાલનપુરના બાલારામ પેલેસ પાસેની બાલારામ નદીના કિનારે કરેલી તે ગુજરાતમાં એ પક્ષીની ડાંગનાં જંગલો સિવાય સૌ પ્રથમ નોંધ છે.[૩].

પુસ્તકો ફેરફાર કરો

  1. અ વન્ડરફુલ ફૉલ્કનરી
  2. કુદરતની કેડીએ (ભાગ ૧-૨ ) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર) (મરણોપરાંત ભાગ ૩ પણ પ્રસિદ્ધ થયેલો છે.)
  3. શ્રેષ્ઠ શિકાર કથાઓ (ભાગ ૧-૨) (ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો દ્વિતીય પુરસ્કાર)
  4. પંખીજગત
  5. ગુજરાતના પક્ષીઓ
  6. વન વગડાના વાસી
  7. પંખીમેળો
  8. ગીરની ભીતરમાં
  9. વન્ય પ્રાણીઓ
  10. પરિન્દા-ઈ-બોસ્તાં (સ્વર્ગના પંખીઓ)

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ૨.૦ ૨.૧ દીલીપભાઈ મ. માંકડ (December 1984). "નિતાન્ત પ્રકૃતિ પ્રેમી પ્રદ્યુમ્નરાય". "ગુજરાત" પક્ષી વિશેષાંક. પૃષ્ઠ ૭૩-૭૪.
  3. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,