ફિરોઝશાહ મહેતા

ફિરોઝશાહ મહેતા, એક વકીલ અને મુંબઇ સુધરાઇના પ્રમુખ

ફિરોઝશાહ મહેતા (૪ ઓગસ્ટ ૧૮૪૫ - ૫ નવેમ્બર ૧૯૧૫) ભારતના પારસી રાજકારણી અને વકીલ હતા. તેમને કાયદાની સેવાઓ માટે બ્રિટિશ સરકાર તરફથી સર નો ખિતાબ મળ્યો હતો.

સર ફિરોઝશાહ મહેતા
જન્મની વિગત
ફિરોઝશાહ મેરવાનજી મહેતા

(1845-08-04)4 August 1845
મૃત્યુ5 November 1915(1915-11-05) (ઉંમર 70)
મુંબઈ, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત
નાગરિકતાબ્રિટીશ રાજ
શિક્ષણ સંસ્થામુંબઈ વિશ્વવિદ્યાલય
વ્યવસાયવકીલ, રાજકારણી
પ્રખ્યાત કાર્યભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સહ-સ્થાપક અને પ્રમુખ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૪ ઓગસ્ટ ૧૮૪૫ ના દિવસે મુંબઈમાં પારસી કુટુંબમાં થયો હતો.[૧] એમણે મુંબઇમાં જ બી.એ. અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.[૧] એ પછી બેરીસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા હતા.[૧] લંડનમાં એમના પ્રયત્નોથી લંડન લીટરરી સોસાયટીની સ્થાપના થઇ.[૧] લંડનના અભ્યાસ દરમ્યાન એમણે હિન્દુસ્તાનની શીક્ષણવ્યવસ્થા નામે મહાનિબંધ લખ્યો.[૧] ૧૮૬૯ના વર્ષમાં તેઓ ભારત પરત આવ્યા અને વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.[૧] ૧૮૮૪ થી ૧૮૮૮ દરમ્યાન એમણે મુંબઇ સુધરાઇના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા.[૨] ૧૮૮૯માં તેઓ મુંબઈમાં કોંગ્રેસના પાંચમાં સત્રની એક સમિતિના પ્રમુખ રહ્યા હતા[૩] અને તેના પછીના કલકત્તા સત્રના પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા.[૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "ફિરોઝશાહ મેહતા - દિવ્ય ભાસ્કર". દિવ્ય ભાસ્કર. ૪ ઓગષ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)
  2. "Rajya Sabha". મૂળ માંથી 2008-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-15.
  3. "An Uncrowned King". Malaya Tribune. ૮ ડિસેમ્બર ૧૯૧૫. મેળવેલ ૧૫ મે ૨૦૧૭.
  4. "Presidents of Indian National Congress". મૂળ સંગ્રહિત માંથી ૨૬ ઓક્ટોબર ૨૦૦૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.