મગની દાળનો શીરો એ મગની દાળને પલાળીને ઘી, ખાંડ (સાકર) આદિ ઉમેરીને બનતી વાનગી છે. આ શિરો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે પૌષ્ટિક છે. તે પચવામાં ભારે હોય છે. તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને તે ઘણી કડાકૂટ ભર્યું કામ છે.

મગની દાળનો શીરો

સામગ્રી ફેરફાર કરો

  • ૧ ભાગ મગની દાળ (મોગર/ફોતરા વગરની)
  • ૧ ભાગ ઘી
  • ૨ ભાગ દૂધ
  • ૧.૨૫ ભાગ ખાંડ
  • કેસર
  • એલચી પાવડર
  • બદામ પિસ્તાની કતરી

કૃતિ ફેરફાર કરો

  • મગની દાળને ૩-૪ કલાક પલાળી રાખો
  • પાણી નીતારી તેને કરકરી વાટી લો
  • ૨-૩ ચમચા ઘી ગરમ કરો અને તેમાં વાટેલી દાળને ધીમે તાપે શેકો.
  • તોડું થોડું ઘી ઉમેરીને હલાવતાં રહો.
  • આછા બદામી રંગનું થાય કે તેમાં દૂધ ઉમેરો.
  • જ્યારે દૂધનો પ્રવાહી ભાગ ઉડી જાય ત્યારે ખાંડ ઉમેરો.
  • ઘી છૂટું પડે ત્યારે ચુલેથી ઉતારી લો.
  • બદામ પિસ્તાની કતરી, કેસરથી સજાવી પીરસો.[૧]

સંદર્ભ ફેરફાર કરો