માણભટ્ટ એ દક્ષિણ ગુજરાત (ભારત)ના બ્રાહ્મણો હતા. તેઓ તાંબાની પાણી ભરવાની મોટા પેટની ગાગર, ભંભો કે અન્ય કોઈ ધાતુના વાસણ પર આંગળીઓની વીંટી અને તેના મુખ પર હાથની થપાટ વડે તાલ આપી આખ્યાન તરીકે ઓળખાતી કાવ્યમય કથાઓ કહેતા.[૧] ઘણી સદીઓ સુધી મધ્યમવર્ગીય ગુજરાતીઓના ધાર્મિક જીવનમાં માણભટ્ટનું એક મહત્વપૂર્ણ સ્થિર સ્થાન રહ્યું હતું. આજના સમયમાં વાર્તા કહેવાની આ અત્યંત લોકપ્રિય કલા લગભગ લુપ્ત થઈ ગઈ છે.[૨]

માણભટ્ટ, કવિ પ્રેમાનંદની પ્રતિમા, કલા વિભાગ, સયાજી વિશ્વવિદ્યાલય, વડોદરા

કથામાં મહાકાવ્યો, પુરાણોની કથાઓ અને રોજિંદા જીવનની વાર્તાઓ કહેવામાં આવે છે. ગાયક માણની સપાટી પર લયબદ્ધ રીતે, આંગળીઓમાં પહેરેલી વીંટીઓ વડે થપાટ મારી મધુર ધાતુના અવાજ વડે તાલ કે લય મેળવે છે.[૩] સંગીતમાં ઉમેરો કરવા ઝાંઝ, પખાવાજ , તબલા અને હાર્મોનિયમ પણ સાથે લેવાય છે.

ચારણ અને ભટ્ટ સમુદાયો તેમના શાહી આશ્રયદાતાના પરાક્રમોને બીરદાવતી ઉજવણીને મહાકાવ્ય અને છંદો કે પાઠમાં ગૂંથે છે. તેઓ રાસો ( રાસ અથવા રાસક ) નો ઉપયોગ કરે છે, આ એક એવી રચના છે જેમાં અનેક કવિતાઓનો સમાવેશ થાય છે અને તે કવિતામાં વાર્તાનો એક ભાગ કહેવામાં આવે છે; કોઈ દ્રશ્ય રજૂ કરવામાં આવે છે અથવા કોઈ પાત્રના અવાજમાં તેનું પઠન કરવામાં આવે છે. મુખ્ય રાસો દોહા અને છંદ સ્વરૂપે હોય છે. દોહાનો એક સ્વરૂપ એ સોરઠા છે . બંને સ્વરૂપોમાં વાક્ય દીઠ શબ્દોની સંખ્યા સમાન હોય છે; જો કે, દોહામાં પંક્તિનો પહેલો અડધો ભાગ લાંબો હોય છે અને કવિતા (પ્રાસ) લીટીના અંતમાં થાય છે, જ્યારે સોરઠામાં પંક્તિનો બીજો અડધો ભાગ લાંબો હોય છે અને મધ્યમાં કવિતા આવે છે. છંદ રચનામાં ઘણા વિવિધ સ્વરૂપો હોય છે.

વિદ્વાન કૃષ્ણલાલ ઝવેરીના જણાવ્યા મુજબ, તે સમયે જ્યારે છાપકામ અને છાપવાની પ્રક્રિયા પણ વિકસિત નહોતી, આ વાર્તાકારો પુરાણો (સાથે નવા ઉભરતા લેખકો દ્વારા લખેલી વાર્તાઓ પણ)નું માણ સાથે નજીક અને દૂરથી આવેલા મનુષ્યોની જનમેદની સમક્ષ પઠન કરતા હતા. તે દ્વારા, તેમના શ્રોતાઓને નિયંત્રિત કરવા ઉપરાંત, તેઓ તેમની ધાર્મિક ભાવનાઓને પણ મજબૂત બનાવતા હતા.

આ વાર્તાકારો અથવા જાહેર ઉપદેશકોની વિશિષ્ટ ગુણવત્તા અથવા ચાતુર્ય એ હતી કે તેઓ લયનું અદ્‌ભૂત ભાવના ધરાવતા અભિનેતા અને કલાકારો હોવા ઉપરાંત શાનદાર ગાયકો અને સંગીતકાર હતા. સંગીત પર તેમની અસાધારણ નિપુણતા અને પ્રદર્શન કરવાની કળાને લીધે, આ સારી કુશળ વાર્તા-વાર્તાકારો તેમના પ્રેક્ષકોને હૃદયપૂર્વક હસાવવા અથવા ઇચ્છાશક્તિથી આશ્રિત રીતે આંસુઓ પણ લાવી શકતા.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Maṇ - Oxford Reference" (અંગ્રેજીમાં). doi:10.1093/acref/9780195650983.001.0001/acref-9780195650983-e-3036. મેળવેલ 2018-08-27.
  2. Mahurkar, Uday (12 January 2004). "Singing a Lost Tune". India Today . મેળવેલ 17 February 2010.
  3. Sheldon Pollock (19 May 2003). Literary Cultures in History: Reconstructions from South Asia. California: University of California Press. પૃષ્ઠ 580. ISBN 978-0-520-22821-4. મેળવેલ 19 September 2017.