મૂળશંકર ભટ્ટ
ગુજરાતી લેખક
મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.
મૂળશંકર ભટ્ટ | |
---|---|
જન્મની વિગત | ૨૫ જૂન ૧૯૦૭ |
મૃત્યુ | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ) |
વ્યવસાય | અધ્યાપન અને સાહિત્યસર્જન |
જીવન સાથી(ઓ) | હંસાબેન |
સંતાનો | પુત્ર – બકુલ અને વિક્રમ પુત્રી – ઉર્મીલા અને મીના |
સન્માનો | ગુજરાતનાં જૂલે વર્ન |
અભ્યાસફેરફાર કરો
- ૧૯૨૧-વિનીત, દક્ષિણામુર્તિ સંસ્થા, ભાવનગર
- ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ)
વ્યવસાયફેરફાર કરો
ક્રમ | સમયગાળો | વર્ણન |
---|---|---|
૧ | ૧૯૨૯ | વિલેપાર્લે, મુંબઇ રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક |
૨ | ૧૯૩૧-૩૮ | દક્ષિણામુર્તિ માં ગૃહપતિ અને શિક્ષક |
૩ | ૧૯૩૮-૪૪ | ભાવનગરમાં ઘરશાળામાં શિક્ષક |
૪ | ૧૯૪૫-૫૩ | દક્ષિણામૂર્તિમાં આચાર્ય |
૫ | ૧૯૫૩-૬૫ | લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ , સણોસરામાં અધ્યાપક અને મુખ્ય ગૃહપતિ તથા લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય |
૬ | ૧૯૬૫ બાદ | નિવૃત્તિ પછી દક્ષિણામૂર્તિ, ગુજરાત નયી તાલીમ સંઘ, ગુજરાત આચાર્ય ગુરૂકુલ વિ. સંસ્થાઓમાં માનદ રીતે સંકળાયા |
મુખ્ય રચનાઓફેરફાર કરો
- અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
- ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન;
- સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો);
- નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર;
- શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.
- બાળસાહિત્ય- ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે ?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું?
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિસ્રોતમાં મૂળશંકર ભટ્ટ સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે. |