મોટા ભમોદ્રા (તા. સાવરકુંડલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોટા ભમોદ્રા (તા. સાવરકુંડલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક ગામ છે. મોટા ભામોદ્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોટા ભમોદ્રા
—  ગામ  —
મોટા ભમોદ્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′09″N 71°18′28″E / 21.335833°N 71.307778°E / 21.335833; 71.307778
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો સાવરકુંડલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

ભમોદ્રા પહેલાં તેના લોખંડ અને સ્ટીલના ઉદ્યોગ અને તલવારો માટે જાણીતું હતું, જેને ભમોદ્રા શૈલીમાં બનાવવામાં આવતી હતી.

ભમોદ્રામાં ઘણી વખત પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા છે. તેમાં એપોલોડોટસ પ્રથમ, પશ્ચિમ સત્રપો, ગુપ્ત અને મૈત્રક રાજાઓના સિક્કાઓનો સમાવેશ થાય છે. ગામની દક્ષિણે મોટું તળાવ છે, જેનો ઉત્તર વિભાગ પ્રાચીન શૈલીમાં બન્યો છે.[૧]

મહત્વના સ્થળો ફેરફાર કરો

ભમોદ્રાથી 2 miles (3.2 km) દક્ષિણે મહાદેવનું શિવલિંગ ધરાવતી ગુફા આવેલી છે, જેને કેદારનાથ કહે છે. ગુફાની નજીક નાનો કુંડ આવેલો છે, જેને કેદાર કુંડ કહે છે. શ્રાવણ મહિનામાં અહીં કેદારનાથ મહાદેવનો નાનો મેળો ભરાય છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨.

  આ લેખ પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશો ધરાવે છે.

સાવરકુંડલા તાલુકાનાં ગામો અને તાલુકાનું ભૌગોલિક સ્થાન