રાજતરંગિણી, કલ્હણ દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે, જેનો શાબ્દિક અર્થ છે - રાજાઓની નદી અને ભાવાર્થ છે - રાજાઓનો ઇતિહાસ અથવા સમય-પ્રવાહ. આ ગ્રંથ કવિતાના રૂપમાં છે. જેમાં ખાસ કરીને કાશ્મીરનો ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે. આ વર્ણનનો આરંભ મહાભારતના કાળથી થાય છે. આ ગ્રંથનો રચના કાળ ઈ. સ. ૧૧૪૭ થી ઇ. સ. ૧૧૪૯ સુધીનો ગણવામાં આવે છે.

પુરાતન કાળના કાશ્મીરનો ઇતિહાસ જાણવા માટે ઇતિહાસવિદો આ પુસ્તકનો સંદર્ભ ગ્રંથ તરીકે બહોળો ઉપયોગ કરતા હોય છે.

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો