ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે. વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (π) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઇ (π) કહેવાય છે.

જ્યારે વર્તુળનો વ્યાસ ૧ હોય છે ત્યારે તેનો પરિઘ π હોય છે.

સૂત્રો ફેરફાર કરો

પરિઘ = π × વ્યાસ

પરિઘ = π × ૨ × ત્રિજ્યા

વ્યાસ = ૨ × ત્રિજ્યા

ત્રિજ્યા = વ્યાસ/ ૨

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π × ૨)

પાઇનું મૂલ્ય ફેરફાર કરો

પાઇ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.