સોનગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''સોનગઢ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અંહી [[તાપી|તાપી નદી]] પરનો [[ઉકાઇ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.[[ચિત્ર:Picasa Dsc04384.jpg|300px|thumb|right|સોનગઢ]]
 
સોનગઢ [[સુરત]] - [[ધુલિયા]] [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬]] તેમ જ [[સુરત]] - [[નંદરબાર]] - [[જલગાંવ]] જતી રેલ્વે લાઇન ( ટાપ્ટી લાઇન ) પર આવેલું મહત્વનું મથક છે.
 
== સોનગઢનો કિલ્લો ==
[[ચિત્ર:Picasa Dsc04384.jpg|300px|thumb|right|સોનગઢ]]
[[સુરત]] - [[ધુલિયા]] માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન [[કિલ્લો]] ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લાનો રસપ્રદ ઇતિહાસ કંઇક આવો છે.
બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો.