સોનગઢ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૮:
[[સુરત]] - [[ધુલિયા]] માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર તાલુકા મથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલ પ્રાચીન [[કિલ્લો]] ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લાનો રસપ્રદ ઇતિહાસ કંઇક આવો છે.
બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો.
ત્યારબાદ બાબીઓ પાસેથી [[વડોદરા| વડોદરા રાજ્ય]] જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે [[શિવાજી| છત્રપાતિ શિવાજી મહારાજ]]ની પણ કેટલીક વાતો જોડાયેલી છે.
આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળીમાતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના[[દશેરો| દશેરા]]ના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.
 
[[ચિત્ર:am-0105-3.jpg]]