કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
No edit summary |
||
લીટી ૧:
{{stub}}
૨૮ નવેમ્બર ૧૯૦૧માં [[કરાંચી]] શહેરામાં જન્મેલા '''કરસનદાસ માણેક''' એ અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા. તેઓ '''વૈશમ્પાયન'''ના ઉપનામે પણ ઓળખાતા. તેઓ એ આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો.▼
કરસનદાસ નરસિંહ માણેક, (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.
મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં.
▲
==મૂખ્ય રચનાઓ==
* કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં
[http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Karsandas-Manek.html]
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
|