યુરેનિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૫:
હાલના કાળમાં યુરેનિયમના ઉપયોગો તેની કિરણોત્સારે ગુણધર્મને જ આધારિત હોય છે. યુરેનિયમ-૨૩૫ એ એક માત્ર પ્રાકૃતિક રીત મળી આવતું કિરણોત્સારી સમસ્થાનિક છે. યુરેનિયમ ૨૩૮ નું વિભાજન કે ખંડન થાય છે અને તે ફળદ્રુપ હોય છે. અર્થાત્ કે આના ખંડન પછી પ્લુટોનિયમ-૨૩૯ મળે છે કે પણ કિરણોત્સારી હોય છે. યુરેનિયમ-૨૩૩ નું નિર્માણ પ્રાકૃતિક થોરીયમમાંથી થઈ શકે છે અને નાભિકીય તંત્રજ્ઞાનમાં તેનું પણ ઘણું મહત્ત્વ છે.
યુરેનિયમ કાંચમાં રંગ દ્રવ્ય તરીકે યુરેનિયમનો ઉપયોગ થાય છે. જેમાં આ તત્વ કેસરી-લાલ થી પીળા રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે છે. પ્રાચીન ફોટોગ્રાફીમાં છાયા ભેદ લાવવા આનો ઉપયોગ થતો હતો. આની શોધ ૧૭૮૯માં થઈ હતી. માર્ટિન હીનરીચ ક્લેપ્રોથ એ આની પીચબ્લેંડ નામની ખનિજમાંથી શોધી હતી. ૧૭૮૯માં પીચબ્લેંડનામની ખનિજમાંથી માર્ટિન હીનરીચ ક્લેપ્રોથ એ આ ધાતુની શોધ કરી હતી. અને આ ધાતુનું નામ [[યુરેનસ]] નામના ગ્રહ પરથી પાડ્યું હતું. યુજીન-મેલચીયોર પીલીગોટ એ આ ધાતુને છૂટી પાડી હતી અને આના કિરણોત્સારી ગુણધર્મોની શોધ એન્ટની બેક્વેરલે કરી હતી. એનરીકો ફર્મીએ ૧૯૩૪માં આ ધાતુ પર સંશોધન કર્યું અને આનો ઉપયોગ અણુ ઊર્જા ક્ષેત્રે અણુભઠ્ઠીઓમાં ઈંધણ તરીકે અને અણુબોમ્બ બનાવવા માટે થવા લાગ્યો. યુદ્ધમાં વપરાયેલ પ્રથમ આણ્વીક શસ્ત્ર અણુબોમ્બ "લીટલ બોય"માં પણ આનો ઉપયોગ થયો હતો. અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધમાં ઘણાં આણ્વીક હથિયારો નું નિર્માણ કરવામાં આવ્યું જેમાં યુરેનિયમ અને પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાના વિભાજન પછી આ શસ્ત્રોને કારણે લોકોના સ્વાસ્થય અને આ શસ્ત્રોની સુરક્ષા ભયમાં મુકાઈ છે.<ref>[http://en.rian.ru/world/20100218/157925732.html "U.S. to pump money into nuke stockpile, increase security,"] ''RIA Novosti'' February 18, 2010</ref>
|