મકરપુરા (તા. વડોદરા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
started typing , please do not delete , under construction , work in progress
(કોઇ તફાવત નથી)

૨૧:૨૪, ૮ ફેબ્રુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

મકરપુરા એ વડોદરા જીલ્લ્લા નાં વડોદરા તાલુકામાં આવેલુ એક ગામ - નગર છે.

ઇતિહાસ

વડોદરામાં આવેલ મકરપુરા એ વડોદરાનો અવિભાજ્ય અંગ છે. તેથી વડોદરાનાં ઇતિહાસ સાથે મકરપુરા નો ઇતિહાસ ગાઢ રીતે જોડાયેલ છે. જોકે એવું માનવામાં આવે છે કે, હાલ નાં મકરપુરાનાં દક્ષિણ વિસ્તારમાં જૂનું મકરપુરા વસ્તું હતું. ત્યારબાદ વડોદરાનાં રાજવી દ્વારા તેને હાલમાં ખસેડવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરાની હદમાં હોવાથી વડોદરાનાં રાજવી નું જ મકરપુરામાં શાસન રહેતું. મહારાજા સયાજીરાવ ગાયેકવાડે વડોદરાની જેમ જ મકરપુરાનો પણ ઘણો વિકાસ કરેલ, જેમાં "રાણી ચિમનાબાઇ મહેલ" અને સેનાપતી નાં મહેલ મુખ્ય છે.

ઉધોગ તથા જી.આઇ.ડી.સી.

મકરપુરા જી.આઇ.ડી.સી. એ મકરપુરા ને પ્રસિધ્ધિ અપાવી છે.મકરપુરા નાં મોટા ભાગનાં લોકોને જી.આઇ.ડી.સી. રોજગાર પુરો પાડે છે. જી.આઇ.ડી.સી. મકરપુરાનો મોટો વિસ્તાર રોકે છે. જી.આઇ.ડી.સી. ના કારણે બધા જ પ્રકારનાં ઉત્પાદનો મકરપુરાં મા સસ્તા તથા પુરતાં પ્રમાણમાં ઉપ્લબધ થાય છે.મકરપુરાંમાં જમીનાં ભાવ "રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ - નેશનલ હાઇ-વે નં. ૮ " તથા કોર્પોરેશન હદ નાં કારણે ઘણાં ઉંચકાયા છે. એબીબી , કોનમેટ , એરડા (ઇરડા - ERDA - Elecrtice Reseach & Devlopment Association ) , ફેગ (એફએજી) જેવી મલ્ટીનેશનલ કંપનીઓનાં કારણે મકરપુરાં નું ઘણું મહત્વ છે. આ કંપનીઓએ મકરપુરા ને ઉંચું જીવનધોરણ પણ બક્ષ્યું છે.નોંધનીય છે કે મકરપુરામાં "ભારતીય વાયુસેના"ની શાખા કાર્યરત છે.