બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Hirenvbhatt (ચર્ચા | યોગદાન) No edit summary |
Hirenvbhatt (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧૦:
વેદ પુરાણોમાં બ્રાહ્મણો ઉત્તર ભારત, પાકિસ્તાન તથા અફ્ઘાનિસ્તાનમાં વસતા હોવાનો ઉલ્લેખ છે જ્યા સરસ્વતી નદીનાં કિનારે બ્રાહ્મણ સમાજ ફુલ્યો અને ફાલ્યો. સરસ્વતી નદીનાં નાશપ્રાય થતાં બ્રાહ્મણોએ સ્થળાંતર કરી મહદઅંશે ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયાં. શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌર અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા છે. ઉત્તર ભારતના કાશ્મીર, અવધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરે માં વસતા બ્રાહ્મણો પંચગૌરમાં સમાવિષ્ટ કરાયા છે જ્યારે ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વસતા બ્રાહ્મણો પંચદ્રવિડમાં સમાવિષ્ટ કરાયા છે. પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા જ્યારે વર્તમાન સમયમાં બ્રાહ્મણોએ તેમના પરંપરાગત વ્યવસાય ઉપરાંત બીજા આધુનિક વ્યવસાય પણ અપનાવ્યા છે.
==ગોત્ર તથા પેટાજ્ઞાતિ==
ગોત્રએ બ્રાહ્મણ કુળ નો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે. હાલમાં અનેક ગોત્ર અસ્તિત્વમાં છે પરંતુ મુળ સાત ગોત્ર સપ્તર્ષી ગૌતમ, જમદગ્નિ, અત્રી, વિશ્વામિત્ર, કશ્યપ, અગત્સ્ય, વસિષ્ઠનાં નામ પરથી અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
==સમાજવ્યવસ્થા==
{{સબસ્ટબ}}
|