|}
==રત્નકણિકા==
૧) :મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --[ગાધીજી]
૨) સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે. - મેહુલ
સાચો મિત્ર તમને સામે થી મારશે નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે. - મેહુલ
૩) સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. - મેહુલ
૪) સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. - અબ્દુલ કલામ
૫) મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી
૬) સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.
જીવન મા જયારે પણ ગુચ પડે તો તેને ઉકેલજો કયારેય તેને તોડશો નહિ, કારણ કે તુટેલી ગુચ સધાઈ જશે ,પણ વચ્ચે ગાઠ તો રહી જ જશે .
પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે,
બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે,
રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમાં
એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.
– પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
૭) લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે. -મેહુલ
ધિક્કાર છે આ નાગરિક ઉપર જે કોઈ ના વિચારો ચોરી કરે છે. (રુચિતા)
|