અડદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''અડદ''' એ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરી...
(કોઇ તફાવત નથી)

૧૯:૪૯, ૧૫ મે ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

અડદ એ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદ્રઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર , આહાર પર રુચિ ઉત્તપન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક , વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હ્રુશ્ટપ્રુશ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોઢાનો લકવા, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે.

આયુર્વેદમાં અડદને શુકલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વ્રુધ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કુષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સાર􀂎 􀉃􀋲ુ 􀉂􀂍ૃ􀄇 થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુનશક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. આવી તકલીફવાળાએ તો લામ્બા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તલે માં બનાવેલ અડદનાં વડાં અને અડદિયો પાક નિયિમત ખાવાં જોઈએ.