કુંભ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: vi:Bảo Bình (chiêm tinh) |
નાનુંNo edit summary |
||
લીટી ૨૪:
| પ્રકાર
| મિશ્ર
કુંભ રાશિના અધિપતિ શનિ દેવ છે. કુંભ રાશિ વાયુ તત્ત્વ રાશિ છે. તેનું સ્વરૂપ સ્થિર હોય છે. આ રાશિની દિશા પશ્ચિમ માનવામાં આવે છે. આ રાશિ કે લગ્નના લોકો મધ્યમ કદના, ઘઉંવર્ણા હોય છે અને જન્મકુંડળીમાં જો લગ્ન પર શુભ ગ્રહની દૃષ્ટિ પડી રહી હોય તો તેમનો રંગ ગોરો અને વ્યક્તિત્વ આકર્ષક હોય છે તથા અન્ય લોકો તેમનાથી પ્રભાવિત થાય છે. આ જાતકો હંમેશાં સરળ સ્વભાવના, ઉદાર અને સ્નેહયુક્ત વ્યવહારથી કીર્તિ પામવામાં સક્ષમ હોય છે. તેઓ ભયરહિત અને નિર્મળ આત્માવાળા હોય છે.
કુંભ રાશિના જાતકો કુશાગ્રબુદ્ધિ ધરાવનાર, સમજુ તથા આત્મવિશ્વાસુ હોય છે. તેઓ ક્યારેય સ્વાર્થી નથી હોતા. તેઓ જેમના પણ સંપર્કમાં આવે છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમની વાણી ગૂઢ અને ગંભીર હોય છે. તેઓ અંદરથી ખોખલા અને બહારથી દેખાવમાં સુંદર લાગે છે. આ જાતકો અંદર ને અંદર કષ્ટ સહન કરે છે, પરંતુ તેનો અણસાર પણ કોઈને આવવા દેતા નથી. તેઓ સંપૂર્ણપણે રહસ્યવાદી વ્યક્તિ હોય છે. તેમના વાસ્તવિક સ્વરૂપને જાણવું એ ખૂબ જ અઘરું કામ હોય છે. તેઓ મોટામાં મોટું જોખમ લેતા પણ ખચકાતા નથી. તેમનો સાંસારિક દૃષ્ટિકોણ વિશાળ હોય છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ તેઓ રાખતા નથી. તેમનામાં પરાક્રમ અને તેજસ્વિતા જોવા મળે છે. સાંસારિક ક્રિયા-ક્લાપોને સફળતાપૂર્વક કરવા માટે ભૌતિક સુખ સાધનોનો ઉપભોગ કરે છે.
આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય રીતે સારી રહે છે. તેઓ જરૂર પૂરતું જ ધન અને લાભ મેળવવા માટે સમર્થ હોય છે. જોકે તેમના હાથે ખર્ચ પણ વધારે થતો હોય છે, પરંતુ આવક સારી હોવાથી તેમને કોઈ તકલીફ પડતી નથી. માતા-પિતાનું સુખ પણ લગભગ ઓછું મળે છે.
આ રાશિમાં શનિદેવ હોવાથી પણ તેઓ ક્યારેય સાચું કે ન્યાયસંગત બોલતાં ખચકાતા નથી. મનમાં કોઈના પણ પ્રત્યે દ્વેષ ભાવના રાખતા નથી. ધર્મ પ્રત્યે તેઓ નિષ્ઠાવાન હોય છે. ધાર્મિક કાર્યોમાં આગળ વધીને ભાગ લે છે. તીર્થયાત્રાઓ કરવી, એકાંતમાં રહીને મનના ઊંડાણ સુધી પહોંચવું અને પોતાનું વિશ્લેષણ કરવું એ તેમની ટેવ બની જાય છે. હરવું-ફરવું એ તેમનો શોખ હોય છે. તેમના અંતર્જ્ઞાનની ક્ષમતા ઘણી વધારે હોય છે.
આ જાતકો સ્વભાવથી પ્રગતિશીલ તથા ક્રાંતિકારી વિચારધારાથી યુક્ત હોય છે. જૂના રીત-રિવાજોને ઓછું મહત્ત્વ આપે છે. આધુનિકતાથી પરિપૂર્ણ વિચારોના હોય છે. સાહિત્ય તથા કલામાં રુચિ ધરાવવાની સાથે તેઓ ઉત્તમ વક્તા પણ હોય છે. તેમની દૃષ્ટિ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. અન્ય લોકોને પ્રભાવિત કરીને તેમના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં તેઓ સમર્થ હોય છે.
વ્યાપારી ક્ષેત્રમાં પોતાની મૂડીનો ફેલાવો કરીને હોય તેના કરતાં બમણી કરી દે છે. સરકારી અથવા વ્યાપારિક સંસ્થાઓમાં ઉચ્ચ પદ પર નોકરી કરે છે. અંતર્જ્ઞાનની ક્ષમતાને કારણે સફળ જ્યોતિષી પણ બને છે. તેઓ લેખક, વૈજ્ઞાનિક, એન્જિનિયર, અધ્યાપક, પ્રિન્ટિંગ ઉદ્યોગ, મશીનરીનું કામ કરે છે. તેમનામાં વક્તૃત્વ તથા શ્રેષ્ઠ લેખનની શક્તિ પણ હોય છે. લલિત કલાઓમાં પણ તેઓ રુચિ ધરાવે છે.
કુંભ રાશિના જાતકોને માથાનો દુખાવો, પેટ સંબંધી રોગો તથા વાયુ રોગો થવાનો ભય રહે છે. તેમનું લગ્નજીવન ત્યારે જ સુખમય બની શકે છે જ્યારે તેમનો સાથી તેમના સમાન કુશાગ્રબુદ્ધિવાળો હોય. તેઓ શારીરિક નહીં, પરંતુ માનસિક પ્રેમને વધારે મહત્ત્વ આપે છે. આ જાતકોનું સંતાન સુંદર, આજ્ઞાકારી તથા બુદ્ધિમાન હોય છે.
* ભાગ્યોદયઃ ૩૬મા વર્ષે ભાગ્યોદય શરૂ થાય છે. જોકે જીવનના ૨૯, ૩૮, ૪૭, ૫૬, ૫૭, ૬૫, ૭૪ તથા ૮૩મું વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
* મિત્ર રાશિઓઃ મીન, મિથુન, મકર, વૃષભ તથા તુલા.
* શત્રુ રાશિઓઃ કર્ક, સિંહ અને વૃશ્ચિક.
* અનુકૂળ રત્નઃ હીરો તથા નીલમ.
* અનુકૂળ રંગઃ નીલો તથા કાળો.
* શુભ દિવસઃ શનિવાર અને શુક્રવાર.
* અનુકૂળ દેવતાઃ શિવજી અને શનિદેવ.
* અનુકૂળ અંકઃ ૮.
* અનુકૂળ તારીખોઃ કોઈ પણ મહિનાની ૮, ૭ અને ૨૬.
* વ્યક્તિત્વઃ યોગી, તપસ્વી તથા સત્ય શોધનાર.
* સકારાત્મક તથ્યઃ સંવેદનશીલ, કુટુંબપ્રેમી અને સમાજપ્રિય.
* નકારાત્મક તથ્યઃ ચંચળ વિચાર એટલે કે વિચાર બદલ્યા કરવા.
|