સિતાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૪૦:
સિતારના આંતરો હલાવી શકાય તેવા હોય છે જેથી સૂક્ષ્મ સૂર શોધનમાં સરળતા રહે છે. વળી તે ગોળાકારે ઉપસેલા હોય છે. આને કારણે તર્બ કે તારીફ કે તરફદાર નામના કંપન તાર તેની નીચેથી પસાર થાય છે. કોઈ એક સિતારમાં તારોની કુલ સંખ્યા ૨૧, ૨૨ કે ૨૩ હોઈ શકે છે. તેમાં થી ૬ કે ૭ વગાડવાના મુખ્ય તાર હોય છે તેઓ આંતરોની ઉપર દોડે છે. વિલાયયત ખાન (એટવા ઘરાના)અને તેમના અનુચરો દ્વારા ગાંધાર પંચમ સિતાર વપરાય છે તેમાં છ મુખ્ય વાદન તાર હોય છે. મૈહર ઘરાના, વિષ્ણુપુર ઘરાના તથા અમુક અન્ય ઘરાના દ્વારા વાપરવામાં આવતી ખરરજ-પંચમ સિતારમાં સાત વાદન તાર હોય છે. આ સિતાર પંડિર રવિ શંકર દ્વાર વગાડવામાં આવતી. આમાંની ત્રણ (ગાંધાર - પંચમમાં ચાર) તારને "ચિકારી" કહે છે. તેનો ઉપયોગ ગૂંજન ધ્વની આપવાનો છે. બાકીના તાર સૂવાવલી માટે વપરાય છે. તેમાં પણ મોટે ભાગે પ્રથમ તાર (બાજ તાર)જ વપરાય છે. સિતારમાં તેના કંપન તાર પહોળા ઢળતા પુલ પર કંપન દ્વારા વિશિષ્ટ ગુંજન નાદ ઉત્પન્ન કરે છે. તારમાં કંપન સમયે તેની લંબાઈ સહેજ વધે છે અને તેના છેડા પુલને સ્પર્ષે છે. આમ થતાં એક ની ઉપર છવાતો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ ધ્વની ઉત્પન્ન કરવા માટેના પુલોને ખસેડવાની ક્રિયાને "જીવારી" કહે છે. "જીવારી " કરાવવા ઘણાં સંગીત કારો સિતાર કારીગરો ની સહાય લે છે.
આ સંગીત વાદ્યની ડોક અને મુખ ચક્તિ બનાવવા મુખ્યત્વે સાગ કે ટુન (મેહોગિની નું એક રૂપ) નું લાકડું વપરાય છે. આનું તુમડું ભોપળાનું હોય છે. આ વાદ્યના પુલ હરણના શિંગડા અને ક્યારેક ઊંટના હાડકામાંથી બનેલા હોય છે; આજ કાલ તો કૃત્રિમ પદાર્થમાંથી પણ તે બનેલા હોય છે. ક્યારેક સિતારમાં તેના પોલા ગળાને બીજે છેડે ઉપ-તુંબડું પણ હોય છે.
== Sitar construction styles ==
|