ઓમકારેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ml:ഓംകാരേശ്വർ ക്ഷേത്രം
નાનું Robot: Automated text replacement (-ઈતિહાસ +ઇતિહાસ)
લીટી ૧૪:
 
 
== ઓમકારેશ્વરની દંતકથા અને ઈતિહાસઇતિહાસ==
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથે ત્રણ ઘણી પ્રચલિત છે.
પ્રથમ કથા એ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ (બ્રહ્માજીના પુત્ર) કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કરણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયામ્ અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક્ ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે.વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ આટૅ અગસ્ત્ય ઋષિ પાસે ગયાં.અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેઅ મના પત્ની પાછાં નહીં ફરે ત્યં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી સૈલમમાઁ સ્થાયી થયાં જેને ત્યાર થી દક્ષિણની કાશી કહેવાય ચે અને તે દ્વાદશ જ્યોતિર્લિગમાંનો એક છે.