બંધનાથ મહાદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Savaliyakeyur (ચર્ચા | યોગદાન) ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું |
(કોઇ તફાવત નથી)
|
૧૪:૨૫, ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા મા આવેલ બંધનાથ મહાદેવ ની જગ્યામા જતા જ તમને પરમ શાંતી નો અનુભવ થાય છે.અહીયા પહોચવા જુનાગઢ,રાજ્કોટ,વેરાવળ,સોમનાથ અને પોરબંદર થી લોકલ ટ્રેઇન તેમજ નજીક ના શહેર વંથલી અને જુનાગઢ થી પણ રીક્ષા અને બસ મળી રહે છે.મંદિર ની નજીક મા બંધડા ગામ આવેલુ છે.પિકનીક માટે પણ આ જગ્યા ખુબ જ સુંદર છે.અહીયા દર વરસે જન્મષ્ટ્મી નો મેળો ભરાય છે. મંદિર ની નજીક મા જ મધુવંતી નદી આવેલી છે.પ્રાચીન લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન શ્રી ક્રુષ્ણ એ માધવપુર ગામે પોતાના લગ્ન સમયે મધ ની જરુરીયાત પુર્ણ કરવા માટે મધ ની નદી શરુ કરાવેલી,એ જ આજ ની આ મધુવંતી નદી.તે સમયે કોઇ અસુરે આ નદી નો પ્રવાહ રોકી દીધેલો,ત્યારે ભગવાન શંકરે એ અસુરે નો નાશ કરેલો.આ અતી પ્રાચીન જગ્યા પર જાળવણી કરવાની અને તેનો વિકાસ કરવાની જરુર છે.