અરણીયાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''અરણીયાળા''' ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૫:૦૮, ૨ માર્ચ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

અરણીયાળા ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થીત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલું ગામ છે. અરણીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગફળી, ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો, લસણ તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, અરણીયાળા છે.

આવાગમન

આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.