ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''ધન તેરસ'''ને દિવસે ઘર,દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે.રંગોળીમાં [[લક્ષ્મીજી]]નાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે.આ દિવસે નવું ધન,ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે.લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે.
'''ધન તેરસ'''
==પૌરાણીક કથા==
દીવો એ [[દિવાળી]]ના પર્વ શાથે જોડાયેલ છે,પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) શાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે.સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ [[લક્ષ્મીજી]] શાથે ગણીયે છીએ,પરંતુ પૌરાણીક કથા પ્રમાણે [[યમરાજા]]એ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?'યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછીજ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ',યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં.આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે [[યમરાજા]]એ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.