મહાદેવી વર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું + ref section
લીટી ૨:
 
એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા. એમણે હિન્દી સાહિત્યના બધા જ મહત્વપૂર્ણ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતના સાહિત્ય આકાશમાં મહાદેવી વર્માનું નામ ધૃવ તારાની સમાન પ્રકાશમાન છે. ગત શતાબ્ધિની સર્વાધિક લોકપ્રિય મહિલા સાહિત્યકારના રૂપમાં તેઓ જીવનભર પૂજનીય બની રહી. વર્ષ ૨૦૦૭ એમની જન્મ શતાબ્ધિના રૂપમાં ઊજવાઈ રહ્યું છે.
 
==સંદર્ભો==
{{reflist}}
 
 
{{સાહિત્ય-સ્ટબ}}